દેશમાં કોરોના વાયરસનો કહેર વધતો જઈ રહ્યો છે. 30 જેટલા રાજ્યો લોકડાઉન કરવામાં આવ્યા છે. ત્યારે આ પરિસ્થિતિની વચ્ચે ટેક્સ રિર્ટનને લઈને નાણામંત્રીએ મોટી રાહતની જાહેરાત કરી છે. ટેક્સ રિટર્નને લઈને તારીખ 30 જૂન કરવામાં આવી હતી. જ્યારે 3 મહિના સુધી ATMમાંથી પૈસા કાઢવાનો ચાર્જ અને બેંકમાં મિનિમમ બેલેન્સનો નિયમ લાગુ નહીં પડે.
ઈન્કમટેક્સ રિટર્ન ભરવાની તારીખ 30 જૂન સુધી લંબાવાઈ
3 મહિના સુધી ATMમાંથી પૈસા કાઢવા પર કોઈ ચાર્જ નહીં લાગે
બેંકમાં 3 મહિના સુધી મિનિમમ બેલેન્સનો નિયમ પણ લાગુ નહીં પડે
Work is going on and we are very close to coming up with an economic package that will be announced sooner rather than later: Union Finance Minister Nirmala Sitharaman in Delhi #COVID19pic.twitter.com/s5arCamMeH
કોરોના વાયરસને પગલે આજે નાણામંત્રી નિર્મલા સીતારમણે પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી. જેમાં તેમણે ઈન્કમટેક્સ રિટર્નની તારીખને લંબાવી છે. આધાર કાર્ડને પાનકાર્ડ તારીખ 30 જુન સુધી લીંક કરી શકાશે. TDS પર વ્યાજ દર 19 ટકાથી જગ્યાએ 9 ટકા કરાયો છે.
The last date for the income tax return for the financial year 18-19 is extended to 30th June 2020. For delayed payments interest rate has been reduced from 12% to 9%: Union Finance Minister Nirmala Sitharaman pic.twitter.com/Q3OHoh86SZ
સરકાર કોરોના વાયરસને પગલે મોટી જાહેરાત કરી છે. તેમજ ઈન્કમટેક્સ અને જીએસટીની તારીખ પણ લંબાવી છે. એટલું જ નિર્મલા સીતારમણે કહ્યું છે કે કોરોના વાયરસને પહોંચી વળવા માટે લોકડાઉન જરૂરી છે.
Postponed to June 30th, 2020: Aadhar-PAN linking date and Vivad Se Vishwas Scheme (from April 1 to June 30, no additional 10% payment)
3 મહિના સુધી કોઈ પણ ATM માંથી પૈસા કાઢવાનો ચાર્જ નહીં
આ સાથે નિર્મલા સીતરામણે જાહેરાત કરતા એ પણ કહ્યું હતું કે બેંકમાં 3 મહિના સુધી ATMમાંથી પૈસા કાઢવા માટેનો કોઈ ચાર્જ નહીં લાગે. જ્યારે ત્રણ મહિના સુધી મિનિમમ બેલેન્સ પણ રાખવાનો નિયમ પણ લાગુ નહીં.
કોરોના વાયરસને પગલે વ્યવસાય જગતનો રાહતના સમાચાર નાણામંત્રીએ આપ્યા છે . જેમાં સરકારે તમામ ટેક્સ સંબંધી બાબતોની તારીખ 31 માર્ચથી વધારીની જૂન અંત સુધી લંબાવી છે. એટલું જ નહીં તેના વ્યાજદરમાં ઘટાડો કરશે. જીએસટીની ફાઈલિંગ તારીખ પણ વધારીને 30 જૂન કરવામા આવી છે. જેથી નાના મઘ્યમ વ્યવસાય કરનારાઓને રાહત મળી શકે. તેમજ તેમને વિવાદથી વિશ્વાસ સ્કિમનો સમય પણ વધારી જૂન સુધી લઈ ગયા છે.
રાહત માટે સરકારની જાહેરાત
TDS મોડો ચુકવવા પર ભરવું પડતું વ્યાજ 12 ટકાથી ઘટાડીને 9 ટકા કરવામાં આવ્યું છે
નાણાંકીય વર્ષ 2018-19 માટે ઈન્કમ ટેક્સ ફાઈલ કરવા માટેની છેલ્લી તારીખ 30 જૂન સુધી વધારવામાં આવી છે.
વિવાદથી વિશ્વાસ સ્કીમની મુદત પણ 30 જૂન સુધી લંબાવાઈ છે. આધાર અને પાન લીન્ક કરવાની તારીખને પણ વધારવામાં આવી છે.
5 કરોડ રૂપિયાથી ઓછા ટર્નઓવર વાળી કંપનીઓને લેટ જીએસટી ફાઈલ કરવા પર કોઈ વ્યાજ, પેનલ્ટી અને લેટ ફી લાગશે નહિ. માર્ચ-એપ્રિલ-મેમાં ફાઈલિંગની તારીખ 30 જૂન સુધી વધારવામાં આવી.
એક્સપોર્ટ અને ઈમ્પોર્ટ કરનારાઓને પણ રાહત, કસ્ટમ ક્લિયરન્સ હવે 30 જૂન સુધી જરૂરી સેવાઓમાં સામેલ. 24 કલાક કામ કરીશું.
આ વર્ષે કંપનીઓના ડાયરેક્ટરોને 182 દિવસ દેશમાં રહેવાની અનિવાર્યતામાંથી રાહત આપવામાં આવી છે.
એક કરોડથી ઓછાનો કારોબાર કરનારી કંપનીઓની વિરુદ્ધ દેવાળિયા પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.
કોરોના વાયરસની સામે સુસ્તીમાંથી પસાર થઈ રહેલ ઈકોનોમીને આર્થિક પેકેજનું બૂસ્ટર મળવા જઈ રહ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમને આ અંગેના સંકેત આપ્યાં છે. નાણામંત્રીએ આ અંગે વીડિયો કોન્ફરન્સથી જણાવ્યું કે હાલ આર્થિક પેકેજ તૈયાર કરવાનું કામ ચાલી રહ્યું છે અને ટૂંક સમયમાં આ અંગેની જાહેરાત કરવામાં આવશે.