પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઇમાનદાર ટેક્સપેયર્સ માટે મોટી ઘોષણા કરી છે. 21મી સદીની ટેક્સ સિસ્ટમની આ નવી વ્યવસ્થાનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ પ્લેટફોર્મમાં Faceless Assessment, Faceless Appeal અને Taxpayers Charter જેવા મોટા રિફોર્મ્સનો સમાવેશ થાય છે. આ નવી સિસ્ટમથી ટ્રાન્સફર પોસ્ટિંગ માટે લગાડવા પડતા જુગાડ અને ઓળખાણોનો અંત આવશે. સિસ્ટમ ફેસલેસ હોવાને કારણે ઇન્કમટેક્સ વિભાગનો પ્રભાવ પણ ઓછો થઇ જશે.
PMએ કહ્યું કે દેશમાં ચાલી રહેલ આધારભૂત પરિવર્તનની પ્રક્રિયા આજે નવા તબક્કે પહોંચી ગઈ છે. આ પ્લેટફોર્મમાં ફેસલેસ સ્ટેટમેન્ટ, ફેસલેસ અપીલ અને ટેક્સપેયર્સ ચાર્ટર માટેની યોજના છે. ફેસલેસ અસેસમેન્ટ અને ટેક્સપેયર્સની સુવિધા આજથી જ શરૂ થઈ ગઈ છે. 25 સપ્ટેમ્બરથી દેશભરના નાગરિકો માટે ફેસલેસ અપીલ સુવિધા ઉપલબ્ધ થશે. હવે ભલે ટેક્સ સિસ્ટમ ફેસલેસ બની રહી છે. પરંતુ ટેક્સપેયર્સને ફેરનેસનો વિશ્વાસ રહેશે.
આ સાથે જ દેશમાં ઇન્કમટેક્સના રીટર્ન્સ માટે અને ગ્રાહકોની ફરિયાદો માટે ફેસલેસ ટીમ્સ ગોઠવવામાં આવશે. આ સાથે જ ઇન્કમ ટેક્સ ડીપાર્ટમેન્ટ ટેક્સપેયર્સ ચાર્ટર બનાવશે જે ટેક્સના અધિકારીઓ અને કરદાતાઓના હકો અને ફરજોને સ્પષ્ટ કરશે.
PM મોદીના ભાષણ પછી નાણા મંત્રાલયના મંત્રી અનુરાગસિંહ ઠાકુરે ટ્વીટર ઉપર ફેસલેસ અસેસમેન્ટ અને ફેસલેસ અપીલ વિષે સમજાવ્યું હતું.
What is ‘Faceless Assessment & Faceless Appeal’ and how will you benefit?
દેશમાં હવેથી અસેસમેન્ટ અને અપીલને દેશના કોઈ પણ અધિકારીને રેન્ડમલી સોંપવામાં આવશે. આ અધિકારી કોણ છે તે ગુપ્ત રાખવામાં આવશે. આ અધિકારીઓની ટીમ રેન્ડમલી સિલેક્ટ કરવામાં આવશે અને તેઓ કોઈ પણ શહેરથી હોઈ શકે છે. અત્યાર સુધી તમામ ટેક્સની લગતી બાબતો જે તે શહેરના ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા હેન્ડલ કરવામાં આવતી હતી. હવે ટેક્નોલોજીની મદદથી દેશના કોઈ પણ IT અધિકારીમાંથી એક જે તે સ્ક્રુટિની સંભાળશે. આ ઉપરાંત ટેક્સ પેયર્સને ઇન્ક્મ ટેક્સ ઓફિસ જવાની જરૂર નહીં પડે અને એપેલેટનો નિર્ણય ટીમ બેઝ્ડ હશે. જો કે અહીં સિરિયસ ફ્રોડ, મોટા ટેક્સ કૌભાંડ, કાળું નાણું અને બેનામી સંપત્તિ છે.
દેશના પ્રામાણિક ટેક્સપેયર્સ રાષ્ટ્ર નિર્માણમાં ખૂબ મોટી ભૂમિકા ભજવે છે
PMએ કહ્યું કે દેશમાં ટેક્સમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. 5 લાખની આવક પર ટેક્સ શૂન્ય છે. બાકીના સ્લેબ ઉપર પણ ટેક્સ ઘટાડવામાં આવ્યો છે. કોર્પોરેટ ટેક્સની બાબતમાં, આપણે વિશ્વમાં સૌથી ઓછો ટેક્સ લઈએ છીએ. ટેક્સ સીમલેસ, પેનલેસ અને ફેસલેસ થાય સરકાર આ પ્રયત્ન કરી રહી છે. આજથી અમલમાં આવતા આ સુધારાઓ આ વિચારને આગળ વધારશે.
મોદીએ કહ્યું કે આ નવી સિસ્ટમથી અધિકારીઓના અને વેપારીઓના પ્રભાવ અને દબાણની સંભાવના ઓછી થઈ છે. આવકવેરા વિભાગને આનો ફાયદો થશે, આનાથી બિનજરૂરી કાયદાકીય કાર્યવાહી ટળશે. ટ્રાન્સફર, પોસ્ટિંગમાં લાગતી ખોટી ઉર્જાનો વ્યય નહીં થાય. હવે બધા પોતપોતાની જવાબદારીઓ અનુસાર કામ કરશે.
PMએ કહ્યું કે દેશના પ્રામાણિક ટેક્સપેયર્સ રાષ્ટ્ર નિર્માણમાં ખૂબ મોટી ભૂમિકા ભજવે છે. જ્યારે કરદાતાઓનું જીવન સરળ બને છે અને તેઓ આગળ વધે છે ત્યારે દેશ પણ આગળ વધે છે. આજથી શરૂ થતી નવી વ્યવસ્થાઓ મિનિમમ ગવર્નમેન્ટ અને મેક્સિમમ ગર્વનન્સની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે. દેશવાસીઓના જીવનમાંથી સરકારની દખલગીરી ઓછી કરવા તરફ પણ એક મોટું પગલું છે.