કાનપુરના પરફ્યુમના વેપારી પિયુષ જૈન સામે કાર્યવાહી કર્યા બાદ હવે આવકવેરા વિભાગની ટીમે પુષ્પરાજ જૈન પર દરોડા પાડ્યા છે.
આવકવેરા વિભાગની ટીમે પુષ્પરાજ જૈન પર દરોડા પાડ્યા છે
પુષ્પરાજ જૈન સમાજવાદી પાર્ટીના એમએલસી છે.
આવકવેરાએ માત્ર ઉત્તર પ્રદેશમાં જ નહી પરંતુ અન્ય રાજ્યોમાં પણ દરોડા પાડ્યા
Tax raids/searches going in UP, Samajwadi party claims that raids are being conducted on its party MLC Pushpraj Jain ‘Pammi’. More details are awaited from relevant authorities pic.twitter.com/FVJii0XY76
કાનપુરમાં પિયુષ જૈન બાદ પુષ્પરાજ જૈન પર આવકવેરાની કાર્યવાહી
કાનપુરમાં પરફ્યુમ વેપારી પિયુષ જૈન સામે કાર્યવાહી કર્યા બાદ હવે આવકવેરા વિભાગએ પુષ્પરાજ જૈનને દરોડા પાડ્યા છે. પુષ્પરાજ જૈન સમાજવાદી પાર્ટીના એમએલસી છે.અને તેમણે સમાજવાદી પરફ્યુમ બનાવ્યું છે.સુત્રોએ જણાવ્યું હતું કે,આવકવેરા વિભાગની ટીમે સવારે 7 વાગ્યે પુષ્પરાજ જૈનના ઘરે પહોંચી હતી.પિયુષ જૈનની જેમ પુષ્પરાજ જૈન પણ કન્નોજના પરફ્યુમ ટ્રેડર છે
સુત્રોના જણાવ્યા અનુસાર આવકવેરા વિભાગની ટીમે પુષ્પરાજ જૈનના ઘર ઓફિસ સહિત 50 સ્થળોએ શોધખોળ હાથ ધરી રહી છે.આવકવેરા વિભાગની ટીમોએ માત્ર ઉત્તર પ્રદેશમાં જ નહી પરંતુ અન્ય રાજ્યોમાં પણ દરોડા પાડ્યા છે.પ્રારંભિક માહિતી મુજબ આ દરોડા કરચોરી આરોપમાં કરવામાં આવ્યાં છે.આવકવેરા વિભાગની ટીમે પુષ્પરાજ જૈન ઉપરાંત કન્નોજના અન્ય એક પરફ્યુમના વેપારી મોહમ્દ યાકુબ પર પણ દરોડા પાડ્યા છે. આ ઉપરાંત મલિક પરફ્યુમના માલિક મલિક મિયાં પર પણ કન્નોજમાં દરોડા પાડવામાં આવી રહ્યાં છે.
आदरणीय राष्ट्रीय अध्यक्ष श्री अखिलेश यादव जी के कन्नौज में प्रेसवार्ता की घोषणा करते ही भाजपा सरकार ने सपा एमएलसी पम्पी जैन के यहां छापामार कार्यवाही करनी शुरू कर दी।
સમાજવાદી પાર્ટીના વડા અને પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ આજે કન્નોજમાં પત્રકાર પરિષદ યોજવાના છે.જેમાં પુષ્પરાજ જૈન પણ ભાગ લેવાના હતાં.
સપાએ કહ્યું કે, ભાજપનો ડર અને મૂઝલવણ સ્પષ્ટ છે
પુષ્પરાજ જૈનના ઘરે દરોડાના અહેવાલો મળતાં જ રાજકારણ શરૂ થઈ ગઈ છે. સમાજવાદી પાર્ટી તરફથી આ મામલે એક પ્રતિક્રિયા સામે આવી છે. સપાનું કહેવું છે કે, અખિલેશ યાદવને જેવી રીતે જ કન્નોજમાં પ્રેસ કોન્ફરન્સની જાહેરાત કરી કે તરત જ ભાજપ સરકારે સપાના એમએલસી પમ્પી જૈન પર દરોડા પાડ્યા સપાએ કહ્યું કે ભાજપનો ડર અને મૂંઝવણ સ્પષ્ટ છે.