અમદાવાદના ઇન્કમટેક્સ વિભાગે આજે વહેલી સવારથી િરયલ એસ્ટેટ બિઝનેસ સાથે સંકળાયેલાં બે બિલ્ડર ગ્રૂપ પર સપાટો બોલાવ્યો છે. થલતેજ-શીલજ વિસ્તારના જાણીતા બિલ્ડર અજય શ્રીધર અને મારુતિ ગ્રૂપ સહિત એચઓએફ (હાઉસ ઓફ ફર્નિચર) ફર્નિચરના શો-રૂમ પર ગાંધીનગર ટીમ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ ઘટનાના પગલે બિલ્ડર લોબીમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.
થલતેજ-શિલજ વિસ્તારના જાણીતા બિલ્ડરને ત્યાં દરોડા
જાણીતા શ્રીધર બિલ્ડરને ત્યાં ITના દરોડા
ગાંધીનગર ટિમ દ્વારા હાથ ધર્યું સર્ચ ઓપરેશન
વહેલી સવારથી આવકવેરા વિભાગના પ૦થી વધુ અધિકારીઓ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરાઈ છે. શ્રીધર ગ્રૂપની મિલકત સહિત જમીનના દસ્તાવેજો, રોકડ અને અન્ય મિલકતોની તપાસ અજય શ્રીધર અને તેમના પરિવારની હાજરીમાં તેમના નિવાસસ્થાને થઈ રહી છે.
આ ગ્રૂપ દ્વારા બનાવવામાં આવેલી શાળા પર પણ આવકવેરા વિભાગે તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે. જમીનના એક મોટા સોદાના પગલે આ તપાસ શરૂ થઈ હોવાનું ચર્ચાઇ રહ્યું છે.
થલતેજ અને શીલજમાં શ્રીધર ગ્રૂપની અનેક સ્કીમ છે. અંદાજે ત્રણ ગ્રૂપમાં ચાલી રહેલા સર્ચ ઓપરેશનમાં ર૪ ટીમ જોડાઈ છે. ફર્નિચર બનાવતા િસંધુ ભવન રોડ પર આવેલ એચઓએફ શો-રૂમ પર શો-રૂમ ખૂલ્યાના સમયે જ ટીમે તપાસ હાથ ધરી હતી.
અજય શ્રીધર અમદાવાદના ખ્યાતનામ બિલ્ડર છે. તેમનાં નિવાસસ્થાન થલતેજ અને ઓફિસ શીલજમાં છે અને ફ્લેટ-ઓફિસની ઈટાિલયન ડિઝાઈનના લીધે થલતેજમાં આવેલો તેમનો બંગલો વાઈટ બંગલો તરીકે ઓળખાય છે. દરોડાની કાર્યવાહી દરમિયાન અનેક મોટા પ્રમાણમાં બેનામી વ્યવહારો મળી આવવાની શક્યતા છે. હાલમાં તમામ સ્થળે સર્ચની કામગીરી ચાલુ છે, જે આવતી કાલ સુધી લંબાઈ શકે છે.
કોણ છે અજય શ્રીધર
અજય શ્રીધર અમદાવાદનો ખ્યાતનામ બિલ્ડર છે. અજય શ્રીધરનું ઘર થલતેજ ખાતે આવેલું છે અને ઓફિસ શીલજમાં. અજય શ્રીધર બિલ્ડર લોબીમાં ખુબ મોટું માથું છે. અને ફ્લેટ અને ઓફિસોની ઈટાલીયન ડિઝાઈનને કારણે ખુબ પ્રસિદ્ધ. થલતેજમાં આવેલો તેનો બંગલો વાઈટ બંગલો તરીકે ઓળખાય છે અને અમદાવાદના શ્રેષ્ઠ આર્કિટેક પ્લાનિંગમાં આ બંગલો છે. આ ઉપરાંત તેની ઓફિસ શીલજમાં એસ.પી.રિંગ રોડ પર આવેલી છે .