કોરોના સંકટની વચ્ચે સતત મંદ પડેલી અર્થવ્યવસ્થાના કારણે મોટાભાગની કંપનીઓને ભારે નુકસાનનો સામનો કરવો પડ્યો છે. માંગમાં ઘટાડાને કારણે પ્રોડક્શનમાં પણ ઘટાડો થયો છે. એવામાં કંપનીઓ રિટાયરમેન્ટના આરે આવેલા કર્મચારીઓને સમય પહેલાં સેવાનિવૃત્તિ આપીને નાણાંકીય જવાબદારી ઘટાડવાનો પ્રયાસ કરી રહી છે. કંપનીઓની તરફથી કેટલાક યુવા કર્મચારીઓને પણ નોકરીથી હટાવી દેવામાં આવ્યા છે અને નાણાંકીય સંકટ ઘટાડવામાં આવી રહ્યું છે.
કોરોના સંકટમાં વધુ એક માર
આ લોકોએ પણ ભરવો પડશે ઈન્કમટેક્સ
આવા છે ઈન્કમટેક્સના નિયમો
કંપનીઓ કર્મચારીઓને કાઢતી સમયે આપી રહી છે અનેક સુવિધા
કંપનીઓ અત્યારની સ્થિતિમાં કર્મચારીઓને હટાવતી સમયે ગેજ્યુઈટી, વીઆરએસ ભથ્થું, વધારાનું વેતન જેવી અનેક સુવિધાઓ આપી રહી છે. નોકરીથી કાઢી દેવામાં આવેલા કર્મચારીઓ પર ડબલ માર સહન કરવાનો વારો આવ્યો છે. એક તરફ તેઓને નોકરી ગુમાવવી પડી છે તો અન્ય તરફ મળનારા ભથ્થા પર પણ ટેક્સ લાગી રહ્યો છે. આવક વિભાગ દ્વારા કઈ કલમના આધારે નોકરી ખોવી ચૂકેલા લોકોએ ઈન્કમટેક્સ ભરવો પડી શકે છે.
નોકરી જાય તો અન્ય સ્ત્રોતની આવક પર પણ આપવાનો રહેશે ઈન્કમટેક્સ
કોઈ પણ કર્મચારીને કંપનીની તરફથી વેતનથી વધારે મળનારી રાશિ પર આવક વિભાગની કલમ 17(3)ના આધારે ઈન્કમટેક્સ ચૂકવવો પડે છે. સરળ શબ્દોમાં કહીએ તો નોકરીથી કાઢી મૂકવામાં આવેલા કર્મચારીઓને મળનારા કેટલાક ભથ્થા પર ઈન્કમટેક્સ ભરવો પડે છે. આ સિવાય નોકરી છૂટી ગયા બાદ તમે કોઈ અન્ય કામ કરીને રૂપિયા કમાઓ છો તો તે આવક પર પણ તમારે ઈન્કમટેક્સ ભરવાનો રહેશે. તેમાં કેટલીક છૂટની પણ જોગવાઈ કરવામાં આવી છે.
VRSની રકમ 3 મહિનાની સેલેરીથી વધુ હશે તો પણ ચૂકવવો પડશે ટેક્સ
કંપનીની તરફથી વોલેન્ટિયર રિટાયરમેન્ટ સમયે દરેક ભથ્થા મળીને ચૂકવવામાં આવેલા 5 લાખ રૂપિયાની રકમ પર પણ આવકવેરા નિયમની કલમ 10 (C)ના આધારે છૂટ મળે છે. આ છૂટ કરદાતાને એકવાર જ મળી શકે છે, જો વીઆરએસના સમયે મળેલી રકમ નોકરીના સમયે મળનારી 3 મહિનાની સેલેરીથી વધારે હોય છે તો કર્મચારીને ટેક્સ ભરવાનો રહે છે. સામાન્ય રીતે જો કર્મચારીને નોકરીથી કાઢી દેવામાં આવે તો મળનારા ભથ્થા ઈન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યૂટ્સ એક્ટના આઘારે મળે છે તો 5 લાખ રૂપિયાની રકમ પર ટેક્સમાં છૂટનો લાભ મળી શકે છે.
સરકારી અને બિન સરકારી કર્મચારીઓને ગ્રેજ્યુઈટી પર મળશે ટેક્સ છૂટ
ઈન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યૂટ્સ એક્ટના આધારે ભથ્થા પર મળનારા 5 લાખ રૂપિયાની રકમ પર પ્રબંધક સ્તરે કામ કરનારા લોકોને ટેક્સ છૂટનો ફાયદો મળતો નથી. જેમની સેલેરી 10000 રૂપિયા મહિને હોય છે. કેન્દ્ર સરકાર,રાજ્ય સરકાર, સ્થાનિક અને પ્રાઈવેટ કંપનીના કર્મચારીઓને ગ્રેજ્યુઈટી પર ટેક્સ છૂટનો ફાયદો મળે છે. ઉલ્લેખનીય છે કે બિન સરકારી કર્મચારીઓને 20 લાખ રૂપિયાની ગ્રેજ્યુઈટી પર ટેક્સમાં છૂટનો ફાયદો મળે છે. તેનાથી વધારે ગ્રેજ્યુઈટી પર તેમને ઈન્કમટેક્સ ભરવાનો રહે છે.