કોરોના અને લોકડાઉનને કારણે કેન્દ્ર સરકારે ઈન્કમ ટેક્સ રિટર્ન ભરવાની તારીખ લંબાવી હતી. આ સાથે જ ઈન્કમ ટેક્સ ડિપાર્ટેમેન્ટે ટેક્સ ચોરીના મામલા અને બેંક એકાઉન્ટ્સમાં શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન કરનારાઓને નોટિસ મોકલવા પર પણ પ્રતિબંધ મૂક્યો હતો. પણ હવે જ્યારે લોકડાઉનમાં છૂટ મળી છે તો આઈટી વિભાગ પણ સક્રિય થઈ ગયું છે. હવે વિભાગ કર ચોરી કરનારાઓ સામે કાર્યવાહી કરી રહ્યું છે.
સીબીડીટીએ ટેક્સ સમન્સ મોકલવામાં પર પ્રતિબંધ હટાવ્યો
આવકવેરા વિભાગે સપ્ટેમ્બર 2020માં મોટી સંખ્યામાં લોકોને કરચોરીના કેસમાં સમન્સ જારી કર્યું હતું. હકીકતમાં નોટબંધી દરમિયાન પોતાના બેંક ખાતામાં મોટી રકમ જમા કરાવતા લોકોને શોધવા અને તેમને આવકવેરા વિભાગ તરફથી નોટિસ મોકલવાનું કામ અત્યાર સુધી ચાલુ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 8 નવેમ્બર, 2016ના રોજ નોટબંધીની ઘોષણા કરી હતી. આ અંતર્ગત જૂની 1000 અને 500ની નોટો રદ કરવામાં આવી હતી. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (સીબીડીટી)એ લોકડાઉન દરમિયાન લોકોને સમન્સ મોકલવા પર પ્રતિબંધ મૂક્યો હતો. હવે લોકડાઉનમાં રાહત બાદ આ પ્રતિબંધ હટાવવામાં આવ્યો છે.
આ કાયદા હેઠળ આવકવેરા નોટિક મોકલવામાં આવી રહી છે
18 સપ્ટેમ્બરે સીબીડીટી દ્વારા આવકવેરા અધિકારીઓને કહેવામાં આવ્યું છે કે તેઓ શકસ્પદ લોકો સામે કાર્યવાહી ફરી શરૂ કરી શકે છે. આવી સ્થિતિમાં સ્પષ્ટ છે કે આવકવેરા વિભાગ એ તમામ લોકોને નોટિસ મોકલશે, જેમના ખાતામાં નોટબંધી પછી મોટી રકમ જમા કરવામાં આવી છે. આવકવેરા વિભાગના રડાર પર આવેલા નવા આવનારાઓને પણ નોટિસ મોકલી શકાય છે. આ સૂચનાઓ કેટલાક સસ્પેક્ટેડ ટ્રાન્ઝેક્શન રિપોર્ટના આધારે મોકલવામાં આવી રહી છે. વિભાગ 6 વર્ષના ડેટામાં મળી રહેલી ગેરરીતિ બદલ આવકવેરા કાયદાની કલમ-148 હેઠળ નોટિસ મોકલી રહ્યું છે.
કાર્યવાહી માટે વિભાગ કાર્યાલયમાં હાજર રહેવાની છૂટ આપી
કોરોના વાયરસ ફેલાયો એ પહેલાં સુધી લોકોને આર્થિક ગેરરીતિના કેસોમાં નોટિસ જારી કરવામાં આવ્યું હતું. હવે શકમંદોને નોટિસની સોફ્ટ કોપી મોકલવામાં આવી રહી છે. આ કામ આવકવેરા વ્યવસાય એપ્લિકેશન પોર્ટલ (આઈટીબીએ પોર્ટલ) દ્વારા કરવામાં આવી રહ્યું છે. કોરોના સંકટને ધ્યાનમાં રાખીને કરદાતાને ઓફિસમાં હાજર રહેવાની છૂટ આપવામાં આવી રહી છે. કાર્યવાહી માટે ઓફિસમાં હાજર થવું જરૂરી નથી. સાથે જ શંકાસ્પદ વ્યક્તિએ તેના વતી કોઈને પણ ઓફિસમાં મોકલવાની જરૂર નથી. ઈમેલ દ્વારા વ્યક્તિને નોટિસ પાઠવવામાં આવી રહી છે.