ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ (Income Tax Department)એ અસેસમેન્ટ યર 2020-21 માટે ટેક્સ રિફંડ માટે ટેક્સ પેયર્સને ઓનલાઈન જવાબ મોકલવા માટે કહ્યું છે.
IT રિટર્ન ન મળ્યું હોય તો આ વાંચી લો
બેન્ક ખાતામાં આવી જશે પૈસા
જાણો સમગ્ર ડિટેલ્સ
ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે (Income Tax Department)એ અસેસમેન્ટ યર 2020-21 માટે ટેક્સ રિફંડ (Tax Refund)ની ચુકવણી ઝડપથી કરવા માટે ટેક્સ પેયર્સને ઝડપી ઓનલાઈન જવાબ મોકલવા માટે કહેવામાં આવે છે. ઓફિશયલ નિવેદન અનુસાર, અસેસમેન્ટ યર 2020-21 માટે ભરેલા આઈટી રિટર્નમાં કરવામાં આવેલા ટેક્સ રિફંડના ક્લેમથી અત્યાર સુધી 93 ટકાની ચુકવણી કરી દેવામાં આવી છે. નિવેદન અનુસાર, પાછલા અઠવાડીયે ટેક્સ રિફંડના રૂપમાં 15,269 કરોડ રૂપિયા જાહેર કરી દીધા છે. તેને ટૂંક સમયમાં જ ટેક્સ પેયર્સના ખાતામાં મોકલવામાં આવશે.
તેમાં કહેવામાં આવ્યું છે કે અસેસમેન્ટ યર 2020-21ના રિફંડના સમાધાન માટે વિભાગ ટેક્સપેયર્સનો સંપર્ક કરવા માટે પ્રક્રિયામાં છે. જ્યાં નોટિસનો મામલો છે અને ટેક્સ પેયર્સના જવાબની જરૂર છે. આ એ કેસ છે જ્યાં આવક વેરાના કાયદાની કલક 245 હેઠળ ગોઠવણો, ખોટી ગોઠવણો અને બેંક ખાતાઓના મિલાનની સમસ્યાના કારણે કર રિફંડ નહીં થઈ શકે.
ITR-1 અને ITR-4નું પ્રોસેસિંગ-રિફંડ શરૂ
નિવેદન અનુસાર વિભાગના ટેક્સ પેયર્સને ઓનલાઈન ઝડપથી જવાબ આપવા કહ્યું છે જેથી આકલન વર્ષ 2020-21 માટે આઈટીઆરનું પ્રોસેસિંગ ઝડપી થઈ શકે. ટેક્સ વિભાગે એ કહ્યું કે તેમણે આકારણી વર્ષ 2021-22 માટે આઈટીઆર 1 (ITR-1) અને 4 (ITR-4)નું પ્રોસેસિંગ અને રિફંડ શરૂ કર્યું છે. જો કોઈ ટેક્સ રિફંડનો મામલો છે તો તેને ટેક્સ પેયર્સના બેન્ક ખાતામાં નાખી દેવામાં આવશે.