લોકડાઉન બાદ સેંકડો જરૂરિયાતમંદ લોકોને મદદ કરીને લોકપ્રિય થયેલા બૉલીવુડ અભિનેતા સોનુ સુદના ઘરે ઇન્કમ ટેક્સ વિભાગે સર્ચ શરૂ કર્યું હતું. જેમાં મોટા અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.
સોનુ સુદના ઘરે ઇન્કમ ટેક્સ વિભાગે સર્ચ શરૂ કર્યું
કોરોના શરૂ થયો ત્યારથી સોનુ લોકોની મદદ કરી રહ્યો છે
રાજકારણમાં જોડાય તેવી અફવાઓએ જોર પકડયું હતું
બૉલીવુડ અભિનેતા સોનુ સુદના ઘરે ઇન્કમ ટેક્સ વિભાગે સર્ચ શરૂ કર્યું હતું. ઇન્કમ ટેક્સ વિભાગના મોટા અધિકારીઓ પણ આ સર્ચમાં હાજર રહ્યા હતા.
છ એકમો પર સર્વે
આ સર્ચમાં મુંબઈ સ્થિત છ પરિશ્રમ સર્વે કરવામાં આવી રહ્યો છે. આ છ એકમો સોનુ સુદની માલિકીના એકમો છે. હજુ આ મુદ્દે વધુ વિગતો સામે આવી શકી નથી પરંતુ આગામી સમયમાં આ સર્ચનો હેતુ અને સમગ્ર માહિતી જાણવા મળશે તેવી સંભાવના છે.
સોનું સુદ ગરીબ અને જરૂરિયાતમંદોને મદદ કરવા માટે જાણીતા છે તેમણે લોકડાઉન દરમિયાન પણ સેંકડો લોકોને મદદ કરી હતી. લોકડાઉન દરમિયાન સેંકડો કારિગરો અને મજૂરોને તેમના ઘરે પહોંચવા માટે સોનુએ ઘણી મદદ કરી હતી.
જરૂરિયાતમંદોને રોબિનહૂડ બનેલા સોનુ સુદ પર છે આ મોટો આરોપ
સૂત્રોના જણાવ્યાનુસાર, કોરોના મહામારીમાં એક્ટર સોનુ સુદે તેની સંપત્તિઓના હિસાબી ચોપડાઓમાં હેરફેર કરી હોવાનો આઈટી વિભાગને શક છે. આ સંબંધિત જાણકારી મેળવવા માટે આઈટી વિભાગ દ્વારા સુદના છ યુનિટ પર સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે દિલ્હી શિક્ષણ વિભાગના બ્રાન્ડ એમ્બેસડર બન્યાના બીજા જ દિવસે આઈટી વિભાગે તેમની સામે કાર્યવાહી કરી છે.
સોનુની મદદ
તમને જણાવી દઈએ કે જ્યારથી કોરોના શરૂ થયો ત્યારથી સોનુ લોકોની મદદ કરી રહ્યો છે. તે દેશનો રિયલ હીરો બની ગયો છે. સોનુએ કોરોનાની પહેલી લહેરમાં પ્રવાસી મજૂરોને તેમના ઘરે પહોંચાડ્યા અને બીજી લહેરમાં તેણે લોકો સુધી ઓક્સીજન સિલેન્ડર પહોંચાડ્યા અને હોસ્પિટલમાં બેડની વ્યવસ્થા પણ કરાવી આપી. આ સિવાય તે સોશિયલ મીડિયા પર લોકોની પરેશાની સાંભળે છે અને તેનું નિરાકરણ કરવાની કોશિશ કરે છે.
તાજેતરમાં સોનું રાજકારણમાં જોડાય તેવી અફવાઓએ જોર પકડયું હતું પરંતુ બાદમાં આ વાત તેણે નકારી દીધી હતી.
Delhi CM Arvind Kejriwal and actor Sonu Sood address a joint press conference
Sonu Sood ji has agreed to become the brand ambassador of our 'Desh Ke Mentors' program which will be launched soon: Delhi CM pic.twitter.com/Aa5cxZWrMc
તાજેતરમાં અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત
ઘણા સમયથી સોનુ રાજકારણમાં જોડાશે કે નહી તેને લઇને ચર્ચાઓ તેજ થઇ હતી અને સોનુએ તે વાતનો જવાબ પણ આપ્યો હતો કે તેણે પોતાના ફિલ્મી કરિયરમાં ઘણું કરવાનું બાકી છે માટે તેણે રાજકારણ વિશે કંઇ વિચાર્યુ નથી પરંતુ હાલમાં તેણે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી હતી. જેના કારણે રાજકારણમાં પણ તેમના નામની ચર્ચા થવા લાગી હતી.