કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ (CBDT)એ ઈન્કમ ટેક્સ એક્ટના સેક્શન 269 એસયૂ હેઠળ ઈલેક્ટ્રોનિક પ્લેટફોર્મ પર ચાર્જ લગાવવા સંબંધી એક સર્કુલર બહાર પાડ્યું છે, જેમાં બેંકોને સલાહ આપી છે કે, તેમણે આ પ્લેટફોર્મથી કરવામાં આવતા ભવિષ્યના કોઈપણ ટ્રાન્ઝેક્શન પર કોઇ પ્રકારનો ચાર્જ ન લગાવવો નહીં.
ઈલેક્ટ્રોનિક પ્લેટફોર્મ પર ચાર્જ લગાવવા સંબંધી એક સર્કુલર બહાર પાડ્યું છે
ડિજિટલ ટ્રાન્ઝેક્શને પ્રોત્સાહિત કરવા સરકારે કરી નવી જોગવાઈ
સરકારે ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહિત કરવા અને કેશલેસ ઇકોનોમી તરફ આગળ વધવા માટે નાણાંકીય અધિનિયમ 2019માં કલમ 269 એસયૂના રૂપમાં એક નવી જોગવાઈ કરવામાં આવી છે. કાયદા હેઠળ તે જરૂરી કરવામાં આવ્યું છે કે ગત વર્ષે 50 કરોડ રૂપિયાથી વધુનો વેપાર કરનાર વ્યક્તિ તત્કાલ પ્રભાવથી નક્કી ઈલેક્ટ્રોનિક પ્લેટફોર્મથી પેમેન્ટની વ્યવસ્થા કરે.
સીબીડીના સર્કુલરમાં બેન્કોને સલાહ આપવામાં આવી છે કે, જો બેન્કો 1 જાન્યુઆરી 2020 કે તે પછી નક્કી કરેલાં ઇલેક્ટ્કોનિક મોડનો ઉપયોગ કરીનેકરવામાં આવેલા ટ્રાન્ઝેક્શન પર કોઈપણ ચાર્જ વસૂલશે તો તેને તાત્કાલિક પાછું આપો અને ભવિષ્યમાં આ પ્રકારની લેણદેણ પર કોઇ ચાર્જ ન લેવામાં આવે.
સીબીડીટીએ કહ્યું કે, ડિસેમ્બર 2019માં સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે એક જાન્યુઆરી 2020થી રૂપેવાળા ડેબિટ કાર્ડ, યૂનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ (યૂપીઆઈ/ ભીમ-યૂપીઆઈ) અને યૂપીઆઈ ક્વિક રિસ્પોન્સ કોડ (ક્યૂઆર કોડ) નક્કી કરેલાં ઈલેક્ટ્રોનિક મોડથી કરવામાં આવેલા ટ્રાન્ઝેક્શન પર મર્ચેન્ટ ડિસ્કાઉન્ટ રેટ સહિત કોઇ પણ ચાર્જ લાગુ નહીં કરી શકે.