ઇન્કમ ટેક્સ વિભાગ 68 હજાર ટેક્સપેયર્સને નોટિસ મોકલી છે. જો તમે પણ ઇન્કમટેક્સ રિટર્ન ભરતી સમયે ભૂલ કરી રહ્યાં છે તો તમને પણ નોટિસ મળી શકે છે
Tax-Departmentએ 68,000 કેસમાં E-verification માટે નોટિસ મોકલી છે
ટેક્સપેયરને કલમ 147 હેઠળ નોટિસ મોકલી શકાય છે
ટેક્સપેયરની પાસે આઇટી ડિપાર્ટમેન્ટને સૂચનાને જવાબ આપવા માટે 15 દિવસનો સમય હોય છે
જો તમે પણ ટેક્સપેયર છો તો આ ખબર તમારા માટે કામની સાબિત થઇ શકે છે. કારણ કે, તાજેતરમાં જ ઇન્કમ ટેક્સ વિભાગ 68 હજાર ટેક્સપેયર્સને નોટિસ મોકલી છે. જો તમે પણ ઇન્કમટેક્સ રિટર્ન ભરતી સમયે ભૂલ કરી રહ્યાં છે તો તમને પણ નોટિસ મળી શકે છે. Tax-Departmentએ 68,000 કેસમાં E-verification માટે નોટિસ મોકલી છે. આરોપ છે કે કોઇ કેસમાં ઇન્કમટેક્સ રિર્ટનમાં ઇન્કમમાં ગરબડ જોવા મળી છે. Annual Information statement (AIS)થી ITRને મેળવવા પર આ વાત સામે આવી ગઇ છે. શું તમે જાણો છે આયકર વિભાગ દ્વારા નોટિસ કેમ મોકવામાં આવે છે, તે સાથે જ જાણો કઇ ભૂલો ના કરવી જોઇએ, અને ઇ-વેરિફિકેશનની પ્રક્રિયા વિશે....
15 દિવસનો હોય છે સમય
ટેક્સ ડિપાર્ટમેન્ટ તરફથી જ્યારે ટેક્સપેયર્સને ઇ-વેરિફિકેશન માટે મેલ દ્વારા સૂચન કરવામાં આવે છે, ત્યારે ટેક્સપેયરની પાસે આઇટી ડિપાર્ટમેન્ટને સૂચનાને જવાબ આપવા માટે 15 દિવસનો સમય હોય છે. ઇ-વેરિફિકેશન હેઠળ કોઇ વિશેષ મામલાને પૂરો કરવા માટે સીબીડીટીની પાસે 90 દિવસોની સમયમર્યાદા હોય છે. પરંતુ જટિલ કેસોમાં વધારે સમય લાગી શકે છે.
આઈટીઆરને લઈને ઈન્કમ ટેક્સ વિભાગ દ્વારા ઘણા નિયમો બનાવવામાં આવ્યા છે. જો તમે વિભાગ દ્વારા બનાવેલા આ નિયમોની અવગણના કરો છો અથવા ITR ભરવામાં કોઈ ભૂલ કરો છો, તો ટેક્સ વિભાગ દ્વારા તમને નોટિસ જાહેર કરવામાં આવી શકે છે.
આવી સ્થિતિમાં જો તમે પણ ઇન્કમટેક્સ રિટર્ન ભરવા જઈ રહ્યા છો, તો આવો જાણીએ કે તમારી કઇ ભૂલો ન કરવી જોઈએ અને કઈ પરિસ્થિતિઓમાં તમને વિભાગ દ્વારા નોટિસ જારી કરવામાં આવી શકે છે.
ના કરશો આ ભૂલઃ
ઉલ્લેખનીય છે કે જો તમારી કુલ આવક અને તમારા દ્વારા ITRમાં આપવામાં આવેલી આવકની માહિતી મેળ ખાતી નથી, તો આવકવેરા વિભાગ તમને નોટિસ મોકલી શકે છે. આ કિસ્સામાં, તમારે ITRમાં કુલ આવક, સંપત્તિ અને અન્ય વસ્તુઓ વિશે સાચી માહિતી આપવી જોઈએ.
ઇન્કમ અને લેણદેણમાં અંતર થવા પર
જો તમારી આવકમાં કોઈ કારણસર વધારો અથવા ઘટાડો થાય છે, તો ટેક્સ વિભાગ તમારી પાસેથી માહિતી માંગી શકે છે. આ કારણોસર, જ્યારે પણ તમે હાઇ વેલ્યુ ટ્રાંજેક્શન કરી રહ્યા છો અથવા કોઈપણ મિલકતમાં વધુ પૈસાનું રોકાણ કરો છો, તો તમારે તેના વિશે ITR માં માહિતી આપવી જ જોઈએ.
ટેક્સ રિર્ટન મોડા ફાઇલ કરવા પર
જો કોઈ વ્યક્તિ સમયસર ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ નહીં કરે તો આઈટી એક્ટની કલમ 142 (1) (i) હેઠળ તેને નોટિસ મોકલી શકાય છે અને તેને દંડ પણ થઈ શકે છે.
ઇન્કમટેક્સની સાચી જાણકારી ના આપવા પર
ટેક્સ રિટર્નનું મૂલ્યાંકન આવકવેરા વિભાગ દ્વારા કરવામાં આવે છે. આવી સ્થિતિમાં, જો આવકવેરાની સાચી માહિતી આપવામાં ન આવે, તો ટેક્સપેયરને કલમ 147 હેઠળ નોટિસ મોકલી શકાય છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે VTV ગુજરાતી આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી.