ગુજરાતના સોનીબજારમાં ફફડાટ વ્યાપી ગયો છે. તમામ ઝવેરીઓને ઈન્કમટેક્ષ વિભાગ તરફથી નોટીસ ફટકારવામાં આવી છે. સોની બજાર આઈટી ડિપાર્ટમેન્ટના નિશાને કેમ છે તે માટે નોટબંધી વખતે અબજોની નોટોનું સોનામાં રૂપાંતરણ જવાબદાર છે. સોના-ચાંદીના બદલામાં જૂની નોટોને ઠેકાણે પડાઈ હોવાની સંભાવનાને પગલે IT વિભાગે નોટીસ ફટકારી સોનીઓ પાસેથી જવાબ માંગ્યો છે.
નોટબંધી વખતે જૂની નોટોને સોનામાં કન્વર્ટ કરાઈ હોવાની શંકા
લગનગાળામાં નોટીસ આવતા ખળભળાટ
ગુજરાત સહિત દેશભરમાં સોનામાં નોટબંધી વખતે થઈ હતી હલચલ
નોટબંધી સમયે સોની બજારમા થયેલા અલગ અલગ ટ્રાન્ઝેક્શન મામલે ઈન્કમટેક્ષ વિભાગે ગુજરાતના તમામ ઝવેરીઓને નોટિસ પાઠવી છે. આઈટી વિભાગની નોટિસ મળતા સોની બજારમાં ફફડાટ ફેલાયો છે. નોટબંધી સમયે સોની બજારમાં મોટા પાયે લોકોએ જૂની ચલણી નોટ આપીને સોના ચાંદીની ખરીદી કરી હતી. હવે આઈટી વિભાગે તમામ સોનીઓને નોટિસ પાઠવીને જવાબ માગ્યો છે.
લગનગાળામાં નોટીસ આવતા ખળભળાટ
એક બાજુ લગનગાળો છે ત્યારે હાલ સોનીબજાર ગરમ છે. લોકો સોનાની ખરીદી કરી રહ્યા છે એવે સમયે વેપારીઓને નોટીસ મળતા વેપારીઓ ધક્કે ચઢ્યા છે. નોટબંધી વખતે અબજોની નોટોને સોનામાં કન્વર્ટ કરાઈ હોવાની શંકા છે. આ વખતે થયેલા સોનીબજારના ટ્રાન્જેક્શનને આધારે જ IT વિભાગે સોનીઓને નોટીસ ફાળવી છે.
નોટબંધી વખતે સોની બજારમાં થયા હતા કરોડોના વહિવટ
નોટબંધી વખતે શહેરમાં 500 અને 1000ની જૂની નોટોનો વહીવટ પાડવા મોટા પ્રણાણમાં સોનાની લે-વેચ થઈ હોવાનું ચર્ચાઈ રહ્યુ છે. એ વખતે સોનાનો ભાવ ગ્રામે 36 હજારને પાર કરી ગયો હતો. અમદાવાદ, સુરત, રાજકોચ, ભાવનગર અને જામનગરમાં 37થી 40 હજારનો ભાવ પહોંચ્યો હતો. દિલ્હીમાં તો 36 હજાર જ્યારે કોલકત્તામાં આ ભાવ 37 હજારે પહોંચ્યો હતો.