હાલમાં એક પ્રોગ્રામમાં PM મોદીએ ખૂબ ઓછા ભારતીય નાગરિકો દ્વારા ટેક્સ ભરવામાં આવે છે એ મુદ્દો ઉછાળ્યો હતો. હવે 2 દિવસ પછી મોદી સરકારે ઇન્કમટેક્સ વિભાગને માર્ચ સુધી 2 લાખ કરોડના ટેક્સ કલેક્શનનો તોતિંગ ટાર્ગેટ આપ્યો છે.
અધિકારીઓને તેમના પોસ્ટિંગ દરમિયાન ટેક્સ વસૂલવાની કુશળતાને ધ્યાનમાં રાખવામાં આવશે
ટેક્સ અધિકારીઓને દરોડા પાડવાનું કહેવામાં આવ્યું છે. જેના કારણે ટેક્સ ભરનારાઓની પજવણી થવાની સંભાવના
"વિવાદ સે વિશ્વાસ" યોજનાની શરૂઆત ડાયરેક્ટ ટેક્સના અધૂરા પડેલા આશરે 4,83,000 કેસ સેટલ કરવાના ઉદ્દેશથી થઇ
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસના અધિકારીઓને ભવિષ્યમાં તેમના પોસ્ટિંગ દરમિયાન તેમની ટેક્સ વસૂલવાની કુશળતાને પણ ધ્યાનમાં રાખવામાં આવશે.
હાલમાં એક પ્રોગ્રામમાં PM મોદી એ ખૂબ ઓછા ભારતીય નાગરિકો દ્વારા ટેક્સ ભરવામાં આવે છે એ મુદ્દો ઉછાળ્યો હતો. હવે 2 દિવસ પછી મોદી સરકારે ઇન્કમટેક્સ વિભાગને માર્ચ સુધી 2 લાખ કરોડના ટેક્સ કલેક્શનનો તોતિંગ ટાર્ગેટ આપ્યો છે.
આ ટાર્ગેટ એમ્નેસ્ટી સ્કીમ "વિવાદ સે વિશ્વાસ" અંતર્ગત આપવામાં આવ્યો છે જેની સમયમર્યાદા જૂન 2020 રાખવામાં આવી છે. ધ ઇન્ડિયન એક્સપ્રેસના સૂત્રોના આધારે આ માહિતી મળી છે.
આ બિલ હજુ પાસ થવાનું બાકી છે અને માર્ચના પહેલા અઠવાડિયામાં સંસદમાં તેની ચર્ચા થઈ શકે છે. સમાચાર મુજબ ટેક્સ અધિકારીઓને દરોડા પાડવાનું કહેવામાં આવ્યું છે. જેના કારણે ટેક્સ ભરનારાઓની પજવણી થવાની સંભાવના છે.
નોંધપાત્ર વાત એ છે કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT) ભવિષ્યની પોસ્ટિંગ દરમિયાન અધિકારીઓની કર વસૂલવાની ક્ષમતાને પણ ધ્યાનમાં લેશે.
નોંધનીય છે કે "વિવાદ સે વિશ્વાસ" યોજનાની ઓનરશિપ PMO પાસે છે અને સરકારે આ માટે એક વિશેષ સેલ બનાવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સેલમાં મહેસૂલ સચિવ અજય ભૂષણ પાંડે અને CBDTના અધ્યક્ષ પીસી મોદી શામેલ છે. સેલની અઠવાડિયામાં એક દિવસ બેઠક રહેશે જેમાં યોજના હેઠળ થયેલી કર વસૂલાત પર નજર રાખવામાં આવશે.
"વિવાદ સે વિશ્વાસ" યોજનાની શરૂઆત ડાયરેક્ટ ટેક્સના અધૂરા પડેલા આશરે 4,83,000 કેસ સેટલ કરવાના ઉદ્દેશથી થઇ છે. આ કેસીસ કમિશનર, ITAT, હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સમક્ષ પેન્ડિંગ છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર ટેક્સ વિભાગની આવકમાં 1.25 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. આવકમાં આ ઘટાડાને કારણે કેન્દ્રિય બજેટ 2020 માં ડાયરેક્ટ ટેક્સ કલેક્શનના આંકડામાં સુધારો કરવામાં આવ્યો હતો. અગાઉ આ આંકડો 13.35 લાખ કરોડ રૂપિયા હતો, જે બાદમાં 11.80 લાખ કરોડ રૂપિયા કરી દેવાયો છે. એવું માનવામાં આવે છે કે સરકાર "વિવાદ સે વિશ્વાસ" યોજના વડે ટેક્સ કલેક્શનના આંકડામાં આવેલી આ કમી સુધારવામાં આવે છે.
CBDTના અધ્યક્ષ પીસી મોદીએ ગયા અઠવાડિયે કહ્યું હતું કે અત્યાર સુધીમાં 7.40 લાખ કરોડ રૂપિયાના ડાયરેક્ટ ટેક્સની વસૂલી કરવામાં આવી છે. નવા બિલ હેઠળ કરદાતાઓએ વિવાદિત ટેક્સના 100 ટકા જમા કરાવવાના રહેશે, પરંતુ જો તેઓ 31 માર્ચ 2020 સુધીમાં ચુકવણી કરશે તો તેમના વ્યાજ અને દંડની રકમ માફ કરવામાં આવશે.