આયકર વિભાગે વરિષ્ઠ નાગરિકો (સિનિયર સિટીઝન)ને મોટી ગિફ્ટ આપી છે. કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ (સીબીડીટી)એ કહ્યું કે વરિષ્ઠ નાગરિકોને વ્યાજથી થનારી રૂપિયા 50 હજારથી ઓછી આવક સુધી ટેક્સ ના કાપી શકાય.
6 ડિસેમ્બરનાં રોજ આપાયો આદેશઃ
બોર્ડે કહ્યું કે ઇન્કમ ટેક્સ એક્ટ અંતર્ગત 194 એ કે અનુસાર વરિષ્ઠ નાગરિકોને 50 હજારથી વધારાનાં વ્યાજથી થનારી આવક પર ટેક્સ આપવાનો રહેશે.
લાગુ કરાયાં હતાં આ નિયમઃ
સેક્શન 80 ટીટીબીનાં અનુસાર 1 એપ્રિલ 2018થી 60 વર્ષથી વધારે ઉંમરનાં નાગરિકોને માટે 50 હજાર રૂપિયાની છૂટછાટની જોગવાઇ છે. નાણાંકીય મંત્રીએ પોતાનાં આ વર્ષે આપવામાં આવેલ બજેટ ભાષણમાં કહ્યું હતું કે કલમ 80D અંતર્ગત સ્વાસ્થ્ય વીમા પ્રીમિયમ અથવા ચિકિત્સા વ્યય હેતુ કપાત સીમાને 30 હજાર રૂપિયાથી વધારીને 50 હજાર રૂપિયા કરી દેવામાં આવેલ છે. હવે દરેક વરિષ્ઠ નાગરિક કોઇ સ્વાસ્થ્ય વીમા પ્રીમિયમ અથવા તો કોઇ ચિકિત્સાનાં સંદર્ભમાં 50 હજાર રૂપિયા પ્રતિવર્ષ સુધી કપાતનાં લાભનો દાવો કરી શકશે.
કલમ 80DDB અંતર્ગત ગંભીર બીમારીનાં સંદર્ભમાં ચિકિત્સા ખર્ચ માટે કપાત સીમાને વરિષ્ઠ નાગરિકોનાં મામલામાં 60 હજાર રૂપિયાથી વધુ અતિ વરિષ્ઠ નાગરિકોનાં મામલામાં 80 હજાર રૂપિયાથી વધારીને દરેક વરિષ્ઠ નાગરિકોને માટે એક લાખ રૂપિયાનો પ્રસ્તાવ આપ્યો. આ રાહતથી વરિષ્ઠ નાગરિકોને 4 હજાર કરોડ રૂપિયાનો અતિરિક્ત કર લાભ પ્રાપ્ત થશે.