ડ્રોપ્ડ ફાઇલ એવા કરદાતા હોય છે જે પહેલા તો આઇટીઆ ફાઇલ કરનાર લોકોમાં સામેલ હોય છે, પરંતુ કોઇ પણ 3 નાણાંકીય વર્ષમાં આઇટીઆર ફાઇલ કરતા નથી.
ઇન્કમ ટેક્સ વિભાગે નોટબંધીના સાચું પગલું જણાવતા કહ્યું કે 2017-18માં એને 1.07 કરોડ નવા કરદાતા જોડ્યા. જ્યારે ડ્રોપ્ડ ફાઇલરો (પહેલા આઇટીઆર ફાઇલ કરવી અને બાદમાં છોડી દેનાર લોકો)ની સંખ્યા ઘટીને 25.22 લાખ થઇ ગઇ.
એક નિવેદનમાં કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ (CBDT)એ કહ્યું કે નાણાંકીય વર્ષ 2017-18માં 6.87 કરોડ ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવામાં આવી જ્યારે 2016-17માં 5.48 કરોડ ITR ફાઇલ કરવામાં આવી હતી એટલે આ માર્ચા પર 25 ટકા વૃદ્ધિ થઇ છે.
આ સાથે જ 2017-18માં આઇટીઆર દાખલ કરનારી નવી કરદાતાઓની સંખ્યા વધીને 1.07 કરોડ થઇ ગઇ જ્યારે 2016-17માં 86.16 લાખ નવા કરદાતા જોડાયા હતા. સીબીડીટીએ કહ્યું, 'નોટબંધીએ ટેક્સ આધાર અને પ્રત્યક્ષ કર સંગ્રહના દાયરના વિસ્તારમાં અસાધારણ રૂપથી સકારાત્મક અસર નાંખે.'
ડ્રોપ્ડ ફાઇલ એવા કરદાતા હોય છે જે પહેલા તો આઇટીઆ ફાઇલ કરનાર લોકોમાં સામેલ હોય છે, પરંતુ કોઇ પણ 3 નાણાંકીય વર્ષમાં આઇટીઆર ફાઇલ કરતા નથી. એવા લોકોની સંખ્યા 2016 -17માં 28.34 લાખ હતી જે ઘટીને 2017-18માં 25.22 લાખ રહી ગઇ.
CBDTએ કહ્યું કે 2016-17ની સરખામણીમાં 2017 18માં વિશુદ્ધ પ્રત્યક્ષ કર સંગ્રહણ 18 ટકા વધીને 10.3 લાખ કરોડ થઇ ગઇ.