બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 01:20 PM, 11 June 2024
ચોમાસુ હજુ શરૂ નથી થયું, અને ગરમી ઘટતી નથી જેને લઇને જમાલપુર APMC શાકમાર્કેટમાં એક અઠવાડિયામાં શાકભાજીની આવક ૨૫ થી ૩૦% જેટલી ઘટી ગઈ છે. જેના કારણે લીલા શાકભાજીના ભાવમાં ૨૦%નો વધારો થયો છે. જમાલપુર APMCનાં વેપારીઓએ જણાવ્યું હતું કે અઠવાડિયાથી યાર્ડમાં શાકભાજીની આવકમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે.
ADVERTISEMENT
શાકભાજીની આવકમાં 30 ટકા જેટલો ઘટાડો
ભીંડો, ચોળી, દૂધી, ગાજર, રવૈયા, ગલકા, ટિંડોળા સહિતની શાકભાજીની આવક રોજ કરતા 30 ટકા ઓછી થઇ છે. તાપમાન સતત ઊંચું રહેતા બજારમાં આવતાં શાકભાજીના જથ્થામાં વધુ બગાડ હોવાથી આવક પર અસર પડી છે. જેને પગલે ભાવમાં 25% સુધીનો વધારો થયો છે.
ADVERTISEMENT
ભાવ વધતા ઓછુ ખરીદી સંતોષ માનવા મજબૂર ગૃહીણીઓ
ભીંડો, ચોળી, દૂધી, ગાજર, રવૈયા, ગલકા, ટિંડોળાનાં ભાવ પ્રતિકિલો રૂપિયા100 સુધી પહોંચ્યા છે. શાકભાજીના ભાવમાં વધારો થતા ગૃહીણીઓનું બજેટ ખોરવાયું છે, ગૃહીણીઓ જે શાક પહેલા દોઢ થી બે કિલો લેતી હતી તે હવે અઢીસો થી પાંચસો ગ્રામ લઇ રહી છે. માર્કેટમાં ચાલી રહેલા હાલ વિવિધ શાકભાજીના ભાવો પર નજર કરીએ તો
શાક ભાવ ( પ્રતિ કિલો)
ભીંડો - 65-110
ચોળી, - 55-130
પરવર - 70-120
દૂધી- 40-100
ગાજર- 70-120
લીંબુ - 80-130
રવૈયા- 60-110
ગલકા- 60-90
ટિંડોળા- 80-140
કોબીજ 80-100
ફુલાવર 60-100
ટામેટા 50-70
કાકડી 40-90
બટેટા 40-55
રીંગણ 50-65
આ પણ વાંચોઃ 'ઈસકે અંદર 45 કિલો સોના નિકલેગા' પરિણીતાના કપડાં કઢાવી કરી તાંત્રિક વિધિ, પછી ગુરુજી સ્વીચ ઓફ
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.