રૂપાણી સરકારનાં વહીવટીતંત્રમાં કેટલાંક મહત્વના પદેથી ઉચ્ચ અધિકારીઓ આ મહિને સેવાનિવૃત્ત થઈ રહ્યા છે જેનાં કારણે હવે રાજ્યના વહીવટમાં ફેરબદલની જરૂર પડશે. રાજ્યનાં પોલીસવડાથી લઈને સરકારનાં સ્વામિત્વ ધરાવતી કંપનીઓમાં પણ ઉચ્ચ અધિકારીઓ સેવાનિવૃત્ત થઇ રહ્યા છે.
DGP ઝાને ત્રણ મહિના પહેલા મળ્યું હતું એક્સ્ટેન્શન
Agriculture and Cooperationના ADC પદ પરથી PK પરમારની નિવૃત્તિ
GNFC અને GSFCમાં પણ નવા બોસ મળશે
શિવાનંદ ઝા
શિવાનંદ ઝા ખરેખર તો એપ્રિલ મહિનામાં જ નિવૃત્ત થવાના હતા પરંતુ કોરોના વાયરસ લોકડાઉનના કારણે તેમને ત્રણ મહિનાનું એક્સ્ટેન્શન આપવામાં આવ્યું હતું. સર્વિસમાં આપવામાં આવેલ એક્સ્ટેન્શન હવે સમાપ્ત થઇ રહ્યું છે. હવે જોવાનું રહે છે કે રાજયનાં પોલીસવડાની કમાન કોઈ નવા અધિકારીને સોંપવામાં આવે છે કે પછી સરકારનાં નજીકનાં ગણાતા શિવાનંદ ઝાને જ ફરીવાર ત્રણ મહિનાનું એક્સ્ટેન્શન આપવામાં આવે છે. જોકે ફરીથી ઝાને જ એક્સ્ટેન્શન મળે તેવી સંભાવનાઓ ઓછી છે. બની શકે કે સેવાથી નિવૃત્ત થયા બાદ પણ શિવાનંદને અન્ય કોઈ પોસ્ટ પર રાખવામાં આવી શકે છે. આ જોતા લાગી રહ્યું છે એ રાજ્યને નવા પોલીસવડા મળવા જઈ રહ્યા છે.
PK પરમાર
રાજ્યમાં બીજા ઉચ્ચ અધિકારી 1985ની બેચના ગુજરાત કેડરના જ IAS ઓફિસર PK પરમાર છે. તે Agriculture and Cooperation વિભાગમાં Additional Chief Secretary પદ પરથી 31મી જુલાઈએ નિવૃત્ત થઇ રહ્યા છે.
MS Dagur
GNFCનાં CMD MS Dagurનો પણ બે વર્ષનો કાર્યકાળ સમાપ્ત થઇ રહ્યો છે. વર્ષ 2018માં જ તેઓ નિવૃત્ત થઇ ગયા હતા જે બાદ તેમને GNSFCના CMD તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. હવે તેમનો કાર્યકાળ વધુ લંબાવવામાં આવે તેવી શક્યતાઓ ખૂબ ઓછી છે. નોંધનીય છે કે GNFCનું સ્વામિત્વ સરકાર જ ધરાવે છે ત્યારે જોવાનું એ રહેશે કે શું સરકાર હવે ફૂલટાઈમ MDની નિયુક્તિ કરે છે કે પછી કોઈ ઓફિસરને કંપનીની કમાન આપે છે. સરકારનાં સૂત્રોનું માનવું છે કે સરકાર કોઈ વર્તમાન ઓફિસરની જ નિયુક્તિ કરશે.
અરવિંદ અગ્રવાલ
નોંધનીય છે કે વધુ એક સરકારી કંપની GSFCને પણ નવા બોસ મળશે કારણ કે CMD અરવિંદ અગ્રવાલનો કાર્યકાળ નવેમ્બર મહિનામાં સમાપ્ત થઇ રહ્યો છે. ગયા વર્ષે નવેમ્બર મહિનામાં તેમને એક વર્ષ માટે કંપનીના CMD બનાવવામાં આવ્યા હતા જ્યારે તેમનાંથી જુનિયર અનીલ મુકીમને રાજ્યનાં ચીફ સેક્રેટરી બનાવી દેવામાં આવ્યા હતા.
વધુ એક સરકાર દ્વારા ચલાવવામાં આવતી કંપની GACL પણ રીટાયર્ડ IAS PK Gera દ્વારા ચલાવવામાં આવી રહી છે. હવે સરકારના વહીવટી તંત્રનાં એક ભાગનું માનવું છે કે સરકારેની માલિકી ધરાવતી કંપનીને સેવાનિવૃત્ત અધિકારીઓ કરતા વર્તમાન ઓફિસર દ્વારા ચલાવવી જોઈએ.