વિશ્વ આરોગ્ય સંસ્થાના જણાવ્યા અનુસાર, કોરોના સમયગાળા દરમિયાન હૃદય રોગનું જોખમ 75% વધી ગયું છે. આવી સ્થિતિમાં સમય આવી ગયો છે કે આપણે બધા તેને હળવાશથી લેવાનું બંધ કરીએ અને આપણી જીવનશૈલીમાં શારીરિક પ્રવૃત્તિને મહત્વ આપવાનું શરૂ કરીએ.
જીવનમાં શારીરિક પ્રવૃતિને આપો મહત્વ
જીવનશૈલીમાં ફેરફાર હૃદય રોગનું મોટુ કારણ
હૃદય રોગનું જોખમ 75% વધી ગયું
બોલિવૂડ સિંગર કેકેનું હાર્ટ એટેકના કારણે આકસ્મિક નિધનથી તમામ ફેન્સને આઘાત લાગ્યો છે. તેઓ માત્ર 53 વર્ષના હતા. કેકે કોલકાતામાં લાઈવ પરફોર્મન્સ આપી રહ્યા હતા ત્યાર બાદ તેમને હાર્ટ એટેક આવ્યો. હૃદયરોગના હુમલા પાછળ ઘણા કારણો હોય છે, જેમ કે જીવનશૈલી, ઉંમર, પરિવારમાં હૃદય રોગનો ઈતિહાસ અને અહીં સુધી કે પ્રદૂષણ અને તાપમાનમાં ફેરફાર પણ તેનું કારણ હોઈ શકે છે.
દરરોજ કરો કસરત
પાછલા થોડા સમયમાં લોકો હૃદયના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત બન્યા છે. આ માટે લોકોએ જીવનશૈલી બદલવા અથવા ખરાબ ટેવો છોડવા જેવી વસ્તુઓ કરી છે. તેમાંથી એક ઉપાય એ છે કે રોજેરોજ કસરત કરવી, જેનાથી હ્રદયરોગનું જોખમ ઘણી હદ સુધી ઘટાડી શકાય છે.
શું એક્ટિવીટી ઓછી થઈ ગઈ તે છે કારણ?
બ્રિટિશ હાર્ટ ફાઉન્ડેશન કહે છે કે જો તમે આખો દિવસ એક્ટિવ રહેશો તો તમારા હૃદયની બીમારીઓનું જોખમ 35 ટકા ઓછું થઈ જશે. બીજી તરફ, જો તમે દિવસનો મોટાભાગનો સમય આરામ કરો છો, તો તેનાથી હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ વધી જાય છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ અનુસાર, લગભગ 35% હૃદયરોગના મૃત્યુ શારીરિક શ્રમ ન કરવાના કારણે થાય છે.
દરરોજ વર્કઆઉટ કરવાથી હાર્ટ એટેકનું જોખમ કેવી રીતે ઘટે છે?
આપણું હૃદય પણ એક સ્નાયુ છે અને શરીરના બાકીના સ્નાયુઓની જેમ તેને વ્યાયામ કરવાથી ફાયદો થાય છે. જો હૃદય મજબૂત હશે તો તે તમારા શરીરમાં કોઈ પણ પ્રયત્ન કર્યા વિના લોહી પંપ કરી શકશે. જો તમે દરરોજ કસરત કરશો તો તમારું હૃદય તેમજ બ્લડ સર્કુલેશન સારી રીતે કામ કરશે, કોલેસ્ટ્રોલ ઘટશે અને બ્લડ પ્રેશરનું સ્તર પણ સ્વસ્થ રહેશે.
દૈનિક શારીરિક પ્રવૃત્તિ ફક્ત તમારા હૃદયને જ નહીં, પરંતુ તમારા મૂડને પણ બૂસ્ટ કરે છે. ધ્યાન અને યાદશક્તિમાં સુધારો કરે છે અને તમને સારી ઊંઘમાં મદદ કરે છે. તમે દરરોજ ચાલી શકો છો, તરી શકો છો, ડાન્સ કરી શકો છો અથવા ઘરના કામકાજ અને ગાર્ડનિંગ પણ કરી શકો છો.
દિવસમાં કેટલો સમય કસરત કરવી જોઈએ?
નિષ્ણાતોના મતે, તમારે અઠવાડિયામાં ઓછામાં ઓછા 150 મિનિટ વર્કઆઉટ કરવું જોઈએ. એક્સરસાઈઝમાં તમે એવી કોઈ પણ વસ્તુઓ કરી શકો છો જેનાથી તમારા હૃદયના ધબકારા વધે. જેમ કે ઝડપી ચાલવું અથવા સાયકલ ચલાવવી તે બધું તેમાં શામેલ કરી શકાય છે.
હૃદયની બિમારીથી બીજી કઈ રીતે બચી શકાય?
બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવું જેવી અન્ય રીતો છે જેનાથી તમે તમારા હૃદય રોગના જોખમને ઘટાડી શકો છો. આનું કારણ એ છે કે જે લોકોને ડાયાબિટીસ છે તેમને હૃદય રોગ થવાનું જોખમ વધારે છે. આ સિવાય ધૂમ્રપાન કરવાથી નશોને પણ નુકસાન થાય છે. આલ્કોહોલનું સેવન પણ હાર્ટ એટેકનું જોખમ વધારે છે.