વડોદરા, મહેસાણા, ભરૂચ, આણંદ, સુરત, સુરેન્દ્રનગર ડીસામાં આગના બનાવો, ક્યાંય આગ બાદ બ્લાસ્ટ થયો ક્યાંક કાર સળગી
ગરમી વધતાં આગની ઘટનાઓ વધી
7 જગ્યાએ આગના બનાવો
વડોદરા, મહેસાણા, ભરૂચમાં આગ, બે કંપનીમાં અને મકાનમાં લાગી આગ
રાજ્યમાં વિવિધ શહેરોમાં આગ લાગવાની ઘટના બની છે. વડોદરા, મહેસાણા, ભરૂચમાં આગ લાગવાની ઘટના બની છે. વડોદરાના બહુથા ગામે યોર ચોઇસ પ્લે બોર્ડ નામની કંપનીમાં ભીષણ આગ લાગી હતી. આ કંપનીમાં રખાયેલા ફાઇબરનો જથ્થો આગની ઝપેટમાં આવી ગયો હતો. આ આગ કઇરીતે લાગી તે જાણી શકાયું નથી. 5થી વધુ ફાયર ફાઈટરની મદદથી આગ કાબૂ લેવા પ્રયાસ કરવામાં આવ્યા હતાં. કોઇ જાનહાની ઘટના બની નથી. તો મહેસાણાના જોટાણામાં એક મકાનમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. આ આગના કારણે મકાનમાં રાખેલો સામાન બળીને ખાક થઇ ગયો હતો. તો આ તરફ ભરૂચના દહેજની ઓમ ઓર્ગેનિક કંપનીમાં આગ લાગવાની ઘટનામાં 6 લોકોના મૃત્યુ થયા છે. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન બ્લાસ્ટ થતા વિકરાળ આગ લાગી હતી. આ દુર્ઘટનામાં એક કામદાર લાપતા થતા તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે. તેમજ આ ઘટના અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આણંદ, સુરત, સુરેન્દ્રનગર, ડીસામાં આગ, બસમાં, કારમાં, બગિચામાં, ફેકટરીમાં આગ લાગી
રાજ્યમાં કુદરતી રીતે વિવિધ શહેરોમાં આગ લાગવાની ઘટના બની છે. આણંદ, સુરત, સુરેન્દ્રનગર, ડીસામાં આગ લાગવાની ઘટના બની છે. આણંદના પેટલાદમાં બસ ડેપોમાં શોર્ટસર્કિટથી આગ લાગ્યાતા ખંભાત ડેપોની બસ બળીને ખાક થઇ ગઇ હતી. આ દુર્ઘટનામાં જાનહાની ટળી હતી. તો સુરતના ભાટપોર GIDCમાં આવેલી પ્લાસ્ટિકની ફેકટરીમાં આગ લાગી હતી. તો આ તરફ સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડ નજીક ચાલુ કારમાં અચાનક આગ લાગી હતી. આગના સમયે 5 બાળકો, મહિલાઓ કારમાં સવાર હતાં. સમય સુચકતાને કારણે કોઈ જાનહાની થઇ નથી. આમ જોઇએ તો 3 દિવસમાં જાહેર સ્થળોએ 5 વાહનો સળગવાના બનાવ બન્યા છે. બનાસકાંઠા ડીસાના વિવાદિત બગીચામાં આગ લાગી હતી. રૂપિયા 2 કરોડ 50 લાખના ખર્ચે તૈયાર થયેલા આ બગીચામાં આગ લાગી હતી. અગાઉ આ બગીચાને લઇને રાજકીય વિવાદો થયા હતાં. 3 વર્ષથી બંધ હાલત રહેલા આ બગીચામાં ભીષણ આગતા અનેક વૃક્ષો આગની ઝપેટમાં આવી ગયા હતાં.