દક્ષિણ ગુજરાતના નવસારીના જલાલપોરનાં વેસ્મા ગામની 12માં ધોરણમાં અભ્યાસ કરતી તરુણીએ આત્મહત્યા વહોરી લેતા ચકચાર.વડોદરા, રાજકોટ,મોરબી,હિંમતનગરમાં સગીર કરી ચુક્યા છે આત્મહત્યા.
સગીરના વયના બાળકોમાં આત્મહત્યાનું પ્રમાણ
નવસારીમાં 12ની વિધાર્થીનીએ ટૂંકાવ્યું જીવન
વડોદરા,રાજકોટ, મોરબી,હિમતનગરના કેસ "લાલબતી'
ગુજરાતમાં દિન પ્રતિદિન સગીર વયના બાળકોના આત્મહત્યાનાં વધતા બનાવોથી સામાજિક ચિંતા વધી છે.એવા ક્યા કારણો છે કે, તરુણ વયના યુવક-યુવતીઓ સામે ચાલીને આત્મ હત્યા જેવું આત્યંતિક પગલું ભરે છે ? છેલ્લા પાંચ દિવસ દરમિયાનની આ ચોથી-પાંચમી ઘટના છે મંગળવારે જ વડોદરામાં ધોરણ 12મા અભ્યાસ કરતા બે જોડિયા ભાઈઓએ આત્મહત્યા વહોરી હતી,જેમાં એક ભાઈનું મોત નીપજ્યું હતું. હવે, દક્ષીણ ગુજરાતના નવસારીના જલાલપોરનાં વેસ્મા ગામની 12માં ધોરણમાં અભ્યાસ કરતી તરુણીએ આત્મહત્યા વહોરી લેતા ચકચાર મચી ગઈ છે જો કે, આત્મહત્યાનું કારણ હજુ અકબંધ છે જેમાં, પોલીસ તપાસ ચાલી રહી છે.
નવસારીના જલાલપોરમાંના વેસ્મા ગામે રહેતી અને ધોરણ 12માં અભ્યાસ કરતી તરુણીએ આત્મહત્યા કરી લેતા તર્ક -વિતર્ક ઉઠયા છે. કયા અગમ્ય કારણોસર સગીરાએ મોત વહાલું કર્યું તેનું રહસ્ય અકબંધ છે. પોલીસ આ ઘટનાને તલસ્પર્શી રીતે તપાસી રહી છે. ઘટના અંગે નવસારી ગ્રામ્ય પોલીસે તપાસ હાથ ધરી છે.
વડોદરામા બે સગા ભાઈઓની ઘટના
સંસ્કારી નગરી વડોદરાના ન્યુ અલકાપુરી વિસ્તારમાં આવેલ શાંતનું એપાર્ટમેન્ટમાં રહેલા બે જોડિયા ભાઈઓએ અગમ્ય કારણોસર સોમવારે મોડી સાંજે આપઘાત કરી લેતા એકનું મૃત્યુ થયું હતું જ્યારે બીજા ભાઈની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.
સ્ટડી રૂમમાં પંખા સાથે લટકીને કર્યો આપઘાત
નોંધનીય છે કે, બંન્ને ટ્વીન્સે પોતાના જ ઘરના સ્ટડી રૂમમાં પંખા પર ફાંસો લગાવીને એકસાથે આપઘાત કરી લીધો હતો. આ જોડિયા ભાઈઓ ધોરણ 12 સાયન્સમાં ભણતાં હતાં અને બે દિવસ બાદ બંનેની પરીક્ષાઓ શરૂ થવાની હતી.
બાળકોના માતા-પિતા શિક્ષક હોવાનું આવ્યું સામે
બનાવ અંગેની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પ્રાથમિક તપાસ હાથ ધરતા પરીક્ષાના ડરે આપઘાત કરી લીધું હોવાનું સામે આવ્યું છે. બાળકોના માતા-પિતા શિક્ષક હોવાનું ખુલ્યું છે. જો કે, સમગ્ર મામલે લક્ષ્મીપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
રાજકોટમાં 10 વર્ષની બાળકીએ ગળેફાંસો ખાધો
કડિયાકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા પરિવારમાં બે દીકરી અને એક દીકરો છે. પરિવારમાં પત્ની પણ આર્થિક ગુજરાન ચલાવવા દેરાસરમાં કામ કરે છે. ત્યારે 10 વર્ષની સૌથી મોટી પુત્રી જે ધોરણ 5માં અભ્યાસ કરતી હતી તેણે આજે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે પરિવાર જ્યારે કૌટુંબિક પ્રસંગે ગયો હત્યારે પુત્રીને સાથે આવવાનું કહેતા ના પાડી દીધી હતી. બાદમાં જ્યારે પરિવાર પ્રસંગમાંથી ઘરે પહોંચ્યો ત્યારે ઘરનો દરવાજો ખખડાવ્યા હોવા છતા નહિ ખોલતા ઘરની પાછળની બારીએથી પિતાએ પુત્રની લટકતી હાલતમાં જોઈ હતી. જે બાદ ઘરનો દરવાજો તોડી પિતા ઘરમાં ઘૂસ્યા હતા, બેભાન અવસ્થામાં પુત્રીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી પરતું તેને તબીબો દ્વારા મૃત જાહેર કરવામાં આવી હતી. માત્ર દશ વર્ષની પુત્રીએ ભરેલા પગલાંથી માતા-પિતા હતપ્રભ થઇ ગયા હતા. હાલ તો સમગ્ર મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીમાં બાળકની આત્મહત્યા
છેલ્લા ત્રણ દિવસમાં કાળજું કંપાવી દે એવી ત્રીજી ઘટના ગુજરાતમાં બની છે.આ ઘટના એટલે 13 વર્ષથી પણ નાની વયના બાળકોની આત્મ હત્યા. પહેલા હિમતનગરમાં 9 વર્ષીય બાળકીએ અગમ્ય કારણોસર આત્મહત્યા વહોરી, તો રાજકોટમાં પણ એક સગીરાએ આત્મહત્યા વહોર્યા બાદ, હવે મોરબીના એક વિસ્તારમાં નજીવા કારણોસર બાળકે આત્મહત્યા કરતા ચકચાર મચી ગઈ છે. બાળ માનસને સમજવું અઘરું થઇ પડે તેવી સામાજિક સ્થિતિનું નિર્માણ ખરેખર ચિંતાનો વિષય બન્યો છે.
મોરબીની આ હૈયું હચમચાવી દેતી ઘટનામાં, 13 વર્ષીય બાળકનો મોબાઈલ બગડી ગયો હોય,પિતાને રીપેરીંગ માટે બાળકે કહ્યું હતું.પિતાએ થોડા સમયમાં રીપેર કરાવી આપીશ તેવું કહેતા,બાળકે લાગી આવ્યું હતું. પરિણામે બાળકે આત્યંતિક પગલું ભરતા ગળે ફાંસો ખાઈ આત્મહત્યા વહોરી લીધી હતી.
બાળકો આપઘાત કેમ કરે છે?
ત્યારે સવાલ થાય છે કે, બાળકો કેમ આપઘાત કરે છે અને બાળકોની માનસિક સ્થિતિ કેમ બગડે છે? મોબાઈલ યુગના કારણે બગડે છે સ્થિતિ? કેમ નાના બાળકો આપઘાત તરફ વળે છે? TV સિરિયલ, શૉ અને અન્ય કારણો જવાબદાર છે? સાયકોલોજીસ્ટોના શું છે મત? માતા-પિતાએ શું રાખવું પડશે ધ્યાન? બાળકની સ્થિતિ કેમ બગડે છે? બાળકોની આસપાસ બનતી ઘટના જવાબદાર છે?