બાળકીને દવાના બદલે અપાયા શરીર પર ડામ,જીવન મરણ વચ્ચે હાલ હોસ્પિટલમાં ઝોલાં ખાઈ રહી છે બાળકી, દાહોદ કટવારા ગામના ભૂવા સામે થશે કાર્યવાહી
રાજકોટમાં અંધશ્રદ્ધાના કિસ્સાનો મામલો
બાળકીને ડામ આપનાર ભૂવા સામે થશે કાર્યવાહી
વિજ્ઞાન જાથા પોલીસ ફરિયાદ કરશે
વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં આજે પણ અંધશ્રદ્ધા યથાવત્ હોવાનો વધુ એક પુરાવો સામે આવ્યો છે રાજકોટ જિલ્લાના ગોંડલમાં. રાજકોટ જિલ્લાના ગુણો ના ગુંદાળા ચોકડી પાસે રહેતા શ્રમિક પરિવારે બે માસની દીકરીને ડામ અપાવ્યો હોવાની ઘટના સામે આવી છે. બે માસની દીકરીને પેટના ભાગે ત્રણ જેટલા ડામ અપાવવામાં આવતા દીકરી હાલ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી હોવાનું સામે આવ્યું છે.
કેવી રીતે મામલો બહાર આવ્યો?
પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે આવેલ કેટી ચિલ્ડ્રન હોસ્પિટલમાં ગુરૂવારના રોજ ગોંડલ થી એક બે માસની બાળકીને ડામ દીધેલી હાલતમાં રાજકોટ ખસેડવામાં આવી હતી. ગોંડલ શહેરમાં પહેલા ખાનગી હોસ્પિટલ અને ત્યારબાદ સરકારી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવ્યા બાદ વધુ સારવાર અર્થે બાળકીને રાજકોટ શહેરની કેટી ચિલ્ડ્રન હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. બાળકીને કેટી ચિલ્ડ્રન હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતાં સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે.
દીકરીના પિતાએ ખુદ કબૂલ્યું કે અમે ભૂવા પાસે ગયા હતા
ગોંડલના ગુંદાળા ચોકડી પાસે મૂળ મધ્ય પ્રદેશના વતની એવો પરિવાર છેલ્લા કેટલાય વર્ષોથી ગુજરાતમાં રહે છે. ત્યારે પોતાની બાળકીને તાણ તેમજ આંચકી અને તાવ આવતો હોય જેના કારણે શ્રમિક પરિવાર દાહોદના કટવારા ગામે ભૂવા પાસે લઇ ગયા હતા. જ્યાં ભૂવાએ દીકરીને સારું થાય તે માટે પેટના ભાગે ત્રણ જેટલા ડામ દીધા હોવાનું સામે આવ્યું છે. જે બાબતની કબૂલાત ખુદ દીકરીના પિતાએ કરી છે. ત્યારે આગામી દિવસોમાં વિજ્ઞાન જાથાની ટીમ દાહોદના કટવારા ગામે પહોંચી હોવા સામે કાર્યવાહી કરશે.
વિજ્ઞાન જાથા દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવશે
ત્યારે સમગ્ર મામલે વિજ્ઞાન જાથાની ટીમ પણ રાજકોટ શહેર ની ખેતી ચિલ્ડ્રન હોસ્પિટલ ખાતે પહોંચી હતી. વિજ્ઞાન જાથાની ટીમ દ્વારા ડામ કોને અપાવ્યો હતો. કોના દ્વારા અપનાવવામાં આવ્યો હતો તે તમામ માહિતી એકત્ર કરવામાં આવી છે. તેમજ આગામી દિવસમાં વિજ્ઞાન જાથાની ટીમ દાહોદના કટવારા ગામે જઇ ભુવા સામે પોલીસ ફરિયાદ પણ નોંધાવશે.
ડામએ દવા નથી..!
ઉલ્લેખનીય છે કે આજે પણ ગ્રામ્ય વિસ્તારમાં તાવ આવે કે અન્ય કોઇ બિમારી સમસમ ડામ આપવાની જૂની પ્રથા હજુ પણ યથાવત છે. ક્યારેક કોઈક બીમારી સબબ પશુઓને પણ આ જ પ્રકારે ડામ આપવાથી તેને થયેલ બીમારી જતી રહેશે તેવી લોકોની માન્યતા છે.