સુરતના કતારગામ વિસ્તારમાં માતાએ તેની બે પુત્રી સાથે આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે. જોકે એક પુત્રી બચી ગઈ છે અને તે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જોકે આપઘાતનું કારણ હજુ અકબંધ છે.
સુરતમાં સામૂહિક આપઘાતનો બનાવ
માતાએ તેની બે પુત્રી સાથે કર્યો આપઘાત
એક પુત્રી હોસ્પિટલમાં સારવાર હેઠળ
સુરતમાં વધતા જતા આપઘાતના બનાવો એક ચિંતાનો પ્રશ્ન બન્યો છે. ત્યારે વધુમાં શહેરના કતારગામ વિસ્તારમાં એક સામૂહિક આપઘાતનો બનાવ સામે આવ્યો છે. આ બનાવમાં માતા અને તેની બે દિકરીઓએ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. જોકે સમગ્ર મામલે એક દિકરી હજુ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
કતારગામ વિસ્તારનો બનાવ
શહરેના કતાર ગામ વિસ્તારમાં આવેલ સહજાનંદ સોસાયટીમાં આ બનાવ બન્યો હોવાની માહિતી સામે આવી છે. જ્યા એક માતાએ તેની 2 દિકરીઓ સાથે મળીને ઝેર ગટગટાવી લીધું છે. માતાનું નામ મંજુલાબેન સોડાંગરે હોવાનું સામે આવ્યું છે. જેણે તેનીજ પુત્રીઓ સાથે મળીને આપઘાત કરી લીધો છે.
28 વર્ષીય દિકરીનું મોત
આ ઘટનામાં 28 વર્ષીય દિકરીનું મોત થયું છે. મૃત્યુ પામનાર દિકરીનું નામ ફાલ્ગુની હોવાનું સામે આવ્યું છે જે શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતી હતી. સાથેજ માતાનું પણ ઝેર પી જવાને કારણે મોત થયું છે.
30 વર્ષીય દિકરી હોસ્પિટલમાં સારવાર હેઠળ
જોકે સમગ્ર મામલે 30 વર્ષની એક દિકરીને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે. સાથેજ તે ડોક્ટર છે. તેવી માહિતી પણ સામે આવી હતી. ઘટનાની જાણ થતા પોલીસ પણ સ્થળે પોહચી હતી અને ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી આરંભી છે.
આપઘાતનું કારણ અકબંધ
ઉલ્લેખનીય છે કે માતા અને તેની બંને દિકરીએ આપઘાત શા માટે કર્યો તે રહસ્ય હજુ પણ અકબંધ છે. આ મામલે પોલીસ પણ તપાસ કરી રહી છે. જોકે પારિવારિક ઝઘડામાં ત્રણેયે આપઘાત કરી લીધો હોવાનું અનુમાન લગાવામાં આવી રહ્યું છે. પરંતુ આ સમગ્ર મામલે હજુ કોઈ ચોક્કસ કારણ સામે નથી આવ્યું.