રાજ્યમાં કથિત લઠ્ઠાકાંડની ઘટનાને લઇને પોલીસ, આરોગ્ય અને અધિકારીઓ દોડતા થયા છે. બોટાદ જિલ્લાની પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. અમદાવાદના SP બોટાદના રોજીદની વાટ પકડી છે.
બોટાદના બરવાળાના રોજીદ ગામે કથિત લઠ્ઠાકાંડની મોટી ઘટના
મેડીકલ ટીમ અને પોલીસની ટીમ બોટાદ પહોંચી છે
મોટા અધિકારીઓ પહોંચ્યા રોજીદ ગામની મુલાકાતે
ગુજરાત કદાચ દેશમાં આકરી દારુબંધી કાયદા માટે મોડેલ સ્ટેટ હશે, પરંતુ નશાનો વેપાર અહીં પણ દેશના બીજા રાજ્યોની જેમ ખૂબ ફૂલ્યો ફાલ્યો છે. ગુજરાતમાં ફરી લઠ્ઠાકાંડની ઘટના હોવાની શક્યતાને લઇને ખળભળાટ મચ્યો છે. બોટાદના બરવાળાના રોજીદ ગામે જીવલેણ દેશી દારૂ ઢીંચતા કેટલાક લોકોને ઝેરી અસર થઈ છે. ભાવનગર સિવિલ હોસ્પિટલમાં 9 અસરગ્રસ્તો લવાયા છે. જેમાંથી 2ની હાલત અતિગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.
ઝેરી દારૂથી 7 લોકોના મોત થયાની આશંકા
પ્રાથમિક રીતે મળતી વિગત અનુસાર આ કથિત લઠ્ઠાકાંડમાં 4 લોકોના મોત થયાની આશંકા સેવાઇ રહી છે. જેમાં બોટાદ 1 વ્યક્તિનું મૃત્યુ ઝેરી લઠ્ઠો પીવાથી થયું હોવાનું મોત થયું છે. 17 લોકોને બોટાદ સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. તો વધુ ગંભીર દર્દીઓને ભાવનગરની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મામલો જોર પકડે તે પહેલા જ અમદાવાદ અને બોટાદ જિલ્લાની પોલીસે તપાસ આદરી દીધી છે. અમદાવાદના SP બોટાદના રોજીદ જવા રવાના થઈ ગયા છે. કારણ કે રોજીદના દારૂના અડ્ડાઓ પરથી દારૂ લીધો હોવાની માહિતી સામે આવી છે. હાલ સત્તાવાર એકનું મોત દર્શાવવામાં આવી રહ્યું છે. જોકે સ્થાનિકોમાં 7 કે તેથી વધુ લોકોના મોતની ચર્ચા થઇ રહી છે.
રોજીદ લઠ્ઠાકાંડના 3થી વધુ અસરગ્રસ્તો ભાવનગર લવાયા
રોજીદમાં શંકાસ્પદ લઠ્ઠાકાંડની ઘટના મામલે 3થી વધુ અસરગ્રસ્તોને ભાવનગરની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. હાલ એક એમ્બ્યુલન્સ વલ્લભીપુર નજીક પહોંચી છે. આ લઠ્ઠાકાંડમાં મોતનો આંકડો વધવાની પણ શક્યતાઓ છે.
મોટા અધિકારીઓ પહોંચ્યા રોજીદ ગામની મુલાકાતે
નાયબ કલેક્ટર, પ્રાંત અધિકારી અને મામલતદાર રોજીદ ગામની મુલાકાતે પહોંચ્યા છે. અધિકારીઓ દ્વારા ગામની મુલાકાત લઈ પૂછપરછ હાથ ધરી છે.
ભાવનગર આરોગ્યની મેડિકલ ટીમ પહોંચી બોટાદ
બોટાદના બરવાળામાં શંકાસ્પદ લઠ્ઠાકાંડનો મામલે ભાવનગરની મેડિકલ ટીમ બોટાદ જવા રવાના થઇ છે. જરૂરી દવા અને સાધનો અને તજજ્ઞો સાથેની મેડીકલ ટીમ બોટાદ સોનાવાલા હોસ્પિટલ જશે.
પોલીસની ટીમો અલગ-અલગ વિસ્તારમાં મોકલાઇઃ ભાવનગર રેન્જ આઈજી
શંકાસ્પદ લઠ્ઠાકાંડનો મામલે ભાવનગર રેન્જ આઇજી અશોક યાદવે નિવેદન આપ્યું છે. રેન્જ આઇજીએ કહ્યું કે, પોલીસની ટીમો અલગ-અલગ વિસ્તારમાં મોકલાઇ છે. બુટલેગરોને પકડવા માટે ટીમો મોકલાઇ છે. જે અસરગ્રસ્તો છે તેમની સારવાર ચાલી રહી છે. ક્રિટીકલ છે તેમને ભાવનગર હોસ્પિટલ ખસેડાયા છે. 1 વ્યક્તિું મોત થયું છે. અત્યાર સુધી 7 લોકો સારવાર હેઠળ છે. DySPની અધ્યક્ષતામાં SITની રચના કરાઇ છે.
હલકી ગુણવત્તાના દારૂથી દૂર રહેવું જોઈએઃ અલ્પેશ ઠાકોર
બરવાળાના રોજીદ ગામે લઠ્ઠાકાંડની કથિત ઘટનાને લઇને ભાજપ નેતા અલ્પેશ ઠાકોરે દુઃખ વ્યક્ત કર્યુ કર્યું છે. તેમણે કહ્યું કે, અમે આ મામલે આંદોલન શરૂ કર્યું હતું. હલકી ગુણવત્તાના દારૂથી દૂર રહેવું જોઈએ. વહીવટી તંત્ર અને અધિકારીઓ દોષિતો સામે કડક કાર્યવાહી કરે. હલકી ગુણવત્તાનો દારૂ બનાવનાર સામે કાર્યવાહી કરો. દોષિતોને લાંબાગાળાની સજા થવી જોઈએ. પોતાના ફાયદા માટે કેટલાક લોકો હલકી ગુણવત્તા વાળો દારૂ બનાવે છે.
આ મામલે વધુ એક મોટા સમાચાર મળી રહ્યા છે. મનહર પટેલે ઘટનાને લઇને કહ્યું કે, રોજિદ ગામમાં દારૂનું વેચાણ બંધ કરાવવા બાબતે રજૂઆત કરી હતી. સરપંચે બોટાદ SPને પત્ર લખ્યો હતો.
બરવાળાના રોજીદ ગામે શંકાસ્પદ લઠ્ઠાકાંડનો મામલો સામે આવ્યો છે. જેમાં ઝેરી દારૂ પીવાથી વધુ લોકોના મોત થયાની આશંકા છે. મોતના આંકડો મોટો હોવાની સ્થાનિકોમાં ચર્ચા છે. VTV ન્યૂઝ પાસે એક્સક્લુઝીવ માહિતી આવી છે. રોજીદ ગામે 17 લોકોએ ઝેરી દારૂ પીધો હોવાનો દાવો કરાયો છે. હાલમાં 7 જ લોકો સારવાર હેઠળ હોવાનો રેન્જ IGનો દાવો કર્યો છે. સમગ્ર મામલે પોલીસ હાલમાં તપાસ કરી રહી છે.
'મને આંખે અંધારા આવે છે'
એક યુવક સમગ્ર ઘટના અંગે કહે છે કે હું દેશી દારૂ વીનુભાઇને ત્યાંથી લાવ્યો હતો. અમે બે જણા હતા. મે પીધી એટલે મને આંખે અંધારા આવ્યા. મને બાટલો ચડાવ્યો . 13-14 જણાને બોટાદ દાખલ કર્યા હતા એકનું મોત થયું છે. મને હજું પણ આંખે અંધારા આવે છે
લઠ્ઠાકાંડ કેવી કેવી રીતે થયો ?
અમદાવાદ અને બોટાદ જિલ્લાના કેટલાક લોકોએ દેશી દારુ પીધો
બરવાળા પાસે નબોઇ ચોકડી પાસે દેશી દારુ પીધો
દેશી દારુના ધંધાર્થી વિનુ પાસેથી દેશી દારુ પીધો
દેશી દારુ પીવાથી 14 જેટલા લોકોને ઝેરી અસર થઇ
તમામ લોકોને બોટાદની સિવાલ હોસ્પિટલમાં દાખલ કરાયા
ઝેરી દેશી દારુ પીવાથી ચાર લોકોના શંકાસ્પદ મોત થયા
અમદાવાદ જિલ્લાના ત્રણ અને બોટાદના એક વ્યક્તિનું મોત થયું
લઠ્ઠો પીવાથી મૃત્યુ કેમ થાય છે?
લઠ્ઠો એટલે ડીનેચર્ડ સ્પિરિટ
સ્પિરિટમાં આલ્કોહોલ કન્ટેન્ટ હોય છે
જેથી તેને ઈથાઈલ આલ્કોહોલ પણ કહેવાય છે
ઈથાઈલ આલ્કોહોલ તબીબી કે ઔદ્યોગિક કાર્યમાં ઉપયોગમાં લેવાય છે
ઉદ્યોગમાં વપરાતુ ઈથાઈલ આલ્કોહોલ લોકો ન પીવા માટે હોય છે
ના પીવાય તે માટે મિથેનોલ નામનું ઝેરી રસાયણ ભેળવાય છે
મિથેનોલના મિશ્રણ બાદ મિથાઈલ આલ્કોહોલ બને છે
ઉદ્યોગોમાંથી મિથાઈલ આલ્કોહોલ ગેરકાયદે વેચવાની ઘટનાઓ પણ સામે આવે છે
ગેરકાયદે લઠ્ઠો બનાવનાર આવો મિથાઈલ આલ્કોહોલ ખરીદીને તેમાં ફટકડી નાખે છે
ફટકડીથી મિથાઈલ અણુઓ નીચે બેસી જાય છે અને ઈથાઈલ આલ્કોહોલ તૈયાર થાય છે
ઈથાઈલ આલ્કોહોલ લઠ્ઠાના નામે સસ્તા ભાવે નશો કરતા લોકોને વેચાય છે
ક્યારેક જો ફટકડીને બદલે ભળતી વસ્તુ આવી ગઈ હોય તો લઠ્ઠો પીનારનું મોત થાય છે
મોતનો આંકડો હજુ પણ વધે તેવી શક્યતા છે કારણ કે જીવલેણ દારૂની અસરથી દાખલ થયેલાઓમાં પણ ઘણખરા ગંભીર હાલતમાં છે.