ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. સાથે રાજનીતિક પાર્ટીઓ પોતાના ઉમેદવારો માટે સેન્સની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.
અમદાવાદ નરોડામાં ભાજપની સેન્સ પ્રક્રિયામાં મારામારી
કોર્પોરેટર અને બક્ષીપંચના પ્રમુખ ગિરીશભાઈ પર હુમલો
યુવા મોરચાના શહેર કારોબારી સભ્યએ કર્યો હુમલો
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. સાથે રાજનીતિક પાર્ટીઓ પોતાના ઉમેદવારો માટે સેન્સની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. પરંતુ સેન્સની પ્રક્રિયાના પ્રથમ દિવસે જ ભાજપના કાર્યકરો પર હુમલાની ઘટના સામે આવી છે. અમદાવાદના નરોડામાં ભાજપની સેન્સ પ્રક્રિયા શરૂ હતી. આ દરમિયાન કોર્પોરેટર અને બક્ષીપંચના પ્રમુખ ગિરીશભાઈ પર હુમલાની ઘટના જોવા મળી છે. તો હુમલો કરવાનો આક્ષેપ ભાજપ યુવા મોરચાના શહેર કારોબારી સભ્ય પર લગાવવામાં આવી રહ્યો છે.
અમદાવાદના નરોડામાં સેન્સની પ્રક્રિયામાં હુમલાની ઘટનામાં ટિકિટ મેળવવાનું કારણ બન્યું છે. યુવા મોરચાના શહેર કારોબારી સભ્યએ લવ ભરવાડે ટિકિટ કેમ માગી તેવા મુદ્દા સાથે લાકડી વડે હુમલો કર્યો છે. આ બાદ હુમલામાં ઘાયલ બંને લોકોને નરોડાની પાર્વતી જાદવ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
નવસારીના આદિવાસીને લડાવવાનો આક્ષેપ
ચૂંટણીઓ જાહેર થતાની સાથે રાજકીય કાવાદાવાઓની શરૂઆત વધુ તેજીલી બનતી હોય છે મોકાનો લાભ લેવો એ રાજકીય પાર્ટીઓ માટે રમતની વાત બનતી હોય છે નવસારીના આદિવાસી પંથક ગણાતા વાંસદા ચીખલીમાં પણ ભાજપમાં ભંગાણ અને ગણદેવી ધારાસભ્ય નરેશ પટેલ પર આદિવાસીને લડાવવાનો ગંભીર આક્ષેપ લાગતા ભાજપા સમર્પિત આદિવાસીઓ રાજીનામાં તરફ જવાના એંધાણ રચાયા છે.
આદિવાસી પંથકમાં પણ ભાજપા મજબૂત રીતે આગળ વધી રહ્યું છે. અને મતદારોને રીજવવાના અથાગ પ્રયત્નમાં લાગી ગયું છે. ત્યારે ભાજપના અનુસૂચિત મોરચાના પ્રમુખે આદિવાસી ધારાસભ્ય પર આદિવાસીઓને અંદરો-અંદર લડાવવાનો આક્ષેપ કરીને રાજીનામાં ધરી દેવાની વાતો ઉચ્ચારી છે. જયારે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખે રાજીનામાં આપ્યાની વાતને ખોટી જણાવી હતી. ત્યારે તકસાધુઓનો ખેલ શું છે એ મતદારો માટે ચિંતાનો વિષય છે.