હજીરા ખાતે KRIBHCOના બાયો ઇથેનોલ પ્લાન્ટનું ખાતમુહૂર્ત
ખેડૂતોને ફાયદો કરાવનારો પ્રોજેક્ટ ક્રિભકોએ શરૂ કર્યોઃ શાહ
આ પ્લાન્ટથી સીધો ફાયદો ખેડૂતોને થશે
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવતા રાજ્યમાં રાષ્ટ્રીય નેતાઓના આંટાફેરા અને મુલાકાતો વધી ગઈ છે. ત્યારે ફરીવાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે સુરતના હજીરા ખાતે KRIBHCOના બાયો ઇથેનોલ પ્લાન્ટનું ખાતમુહૂર્ત કર્યું છે.
આ પ્લાન્ટથી સીધો ફાયદો ખેડૂતોને થશે
આ તકે કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું કે, આ પ્લાન્ટના નિર્માણ બાદ દૈનિક 2.50 હજાર લીટર પ્રતિદિન બાયો ઇથેનોલનું ઉત્પાદન થશે. ગુજરાતમાં 9 જિલ્લામાં ખેડૂતો મકાઈ વાવીને આજીવિકા મેળવે છે, KRIBHCOના બાયો ઇથેનોલ પ્લાન્ટના નિર્માણ બાદ મકાઈના પાકના સારા ભાવ મળશે. જે મકાઈ ખાવાના કામમાં આવે છે તેનાથી પણ ઈથેનોલ પણ બનશે, આ ઉપરાંત ખરાબ મકાઈ જે આજે ફેંકી દેવામાં આવે છે. તે મકાઈ પણ ઈંધણ બનાવવામાં ઉપયોગમાં લેવાશે. વેસ્ટજ મકાઈ પ્લાન્ટમાં ઇંધણ બનાવીને દેશના અર્થતંત્રને ફાયદો થશે. ક્રિભકોનો પ્લાન્ટ ખેડૂતોના જીવનમાં નવું પ્રકાશનું કિરણ બનશે. અનેક રીતે ખેડૂતોને ફાયદો કરાવનારો પ્રોજેક્ટ ક્રિભકોએ શરૂ કર્યો છે
सूरत में KRIBHCO की बायो-इथेनॉल परियोजना ‘कृभको हजीरा’ के शिलान्यास के अवसर पर आयोजित सहकारिता सम्मेलन में मेरा संबोधन.... https://t.co/aTmAXvxkW5
તેઓએ જણાવ્યું કે, આ પ્લાન્ટથી સીધો ફાયદો ખેડૂતોને થશે. વેસ્ટજ મકાઈ પ્લાન્ટમાં ઇંધણ બનાવીને દેશના અર્થતંત્રને ફાયદો થશે. ક્રિભકોનો પ્લાન્ટ ખેડૂતોના જીવનમાં નવું પ્રકાશનું કિરણ બનશે. પેટ્રોલ અને ડીઝલનો વિકલ્પ હવે ઈથેનોલ બનશે. આપને જણાવી દઈએ કે, KRIBHCOના બાયો ઇથેનોલ પ્લાન્ટનું ખાતમુહૂર્ત કર્યા બાદ કેન્દ્રીય ગૃહમંત્રી હિન્દી દિવસના કાર્યક્રમમાં હાજરી આપવા રવાના થયા હતા.
બે દિવસ પહેલા જ ગુજરાતના મહેમાન બન્યા હતા શાહ
અમિત શાહ તાજેતરમાં જ અમરેલી અને સોમનાથની મુલાકાતે આવ્યા હતા. અમિત શાહે 2 દિવસ અગાઉ જ અમરેલી ખાતે સહકારી મંડળીઓની સામાન્ય સભામાં હાજરી આપી હતી. તેમજ સોમનાથમાં હનુમાનજીની 16 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ તેમજ સમુદ્ર દર્શન પથ પર 202 મારુતિ હાટની દુકાનોનું ઉદ્ઘાટન કર્યું હતું.
બે દિવસ અગાઉ જ ગૃહમંત્રી અને સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અમિત શાહે ભક્તિ, ભવ્યતા અને દિવ્યતાના પ્રતિક સમા પ્રથમ જ્યોતિર્લિંગ એવા દેવાધિદેવ મહાદેવને શીશ ઝૂકાવી ધન્યતા અનુભવી હતી. લોકસુખાકારી તેમજ જનકલ્યાણ માટે કેન્દ્રીય ગૃહમંત્રીએ ભગવાનને પ્રાર્થના કરી હતી. કેન્દ્રીય ગૃહમંત્રીએ સમુદ્ર દર્શન પથ પાસે હનુમાનજીની 16 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ તેમજ સમુદ્ર દર્શન પથ પર 202 મારુતિ હાટની દુકાનોનું પણ ઉદ્ઘાટન કર્યુ હતું.
ચંડેશ્વર પ્રતિમાનું કર્યું હતું અનાવરણ
ગૃહમંત્રીએ મહાદેવ સમક્ષ ગંગાજળનો જળાભિષેક અર્પણ કર્યા બાદ પૂજન અર્ચન કરી ધન્યતા અનુભવી હતી. ત્યાર બાદ સોમનાથ મંદિરના પૂજારીઓ દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી ગૃહમંત્રીના હસ્તે સોમેશ્વર મહાપૂજા તેમજ ધ્વજાપૂજા કરાવવામાં આવી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રીએ ધ્વજારોપણ કરી ધન્યતા અનુભવી હતી તેમજ સોમનાથ જ્યોતિર્લિંગ સમક્ષ નિત્યમહારૂદ્ર પાઠનો સંકલ્પ કર્યો હતો. ગૃહમંત્રીએ મંદિરમાં સોમગંગા વિતરણ સુવિધાનો પ્રારંભ કરી ચંડેશ્વર પ્રતિમાનું અનાવરણ કર્યુ હતું. સોમનાથ મહાદેવને અર્પણ કરાતા ગંગાજળને રિફાઇન કરી ભાવિકોને પ્રસાદ રૂપે આપવાના પવિત્ર પ્રકલ્પનો પણ કેન્દ્રીય ગૃહ મંત્રીએ પ્રારંભ કરાવ્યો હતો.
શ્રદ્ધાળુઓને લાઈવ દર્શન કરવા માટે અધતન ટેકનોલોજી વાળી સાઇટનું લોન્ચિંગ કરાયું
સોમનાથ ટ્રસ્ટ દ્વારા ડિજિટલ પ્લેટફોર્મના ઉપયોગથી દેશ વિદેશના શ્રદ્ધાળુઓને લાઈવ દર્શન કરવા માટે અધતન ટેકનોલોજીના માધ્યમથી વ્યવસ્થા ગોઠવી છે. નવી વેબસાઇટ માહિતીસભર વાપરવામાં સુગમતા રહે તે તમામ બાબતોનું ધ્યાન રાખી તૈયાર કરવામાં આવી છે. નવી વેબસાઈટના લોન્ચિંગથી યાત્રિકો ઘરે બેઠા પૂજા વિધિ નું રજીસ્ટ્રેશન, અતિથિ ગૃહ રૂમનું બુકિંગ, ડોનેશન, સોમેશ્વર મહાપૂજા, ધ્વજા પૂજા, રુદ્રાભિષેક વિગેરે પૂજા વિધિ ઓનલાઇન બુક કરાવી શકશે. સોમનાથની પ્રસાદી તેમજ સોમનાથ મંદિરમાં પૂજા કરાયેલ ચાંદીના સિક્કા, પાર્વતીમાતાને ચડાવેલ સાડી, મહાદેવને શૃંગાર કરેલ વસ્ત્રો તથા મંદિર પર ધ્વજા રોહણ કરાયેલ ધ્વજા પણ વસ્ત્ર પ્રસાદી રૂપે ઓનલાઇન મંગાવી શકશે તેમજ સ્નેહી સંબંધીને પણ મોકલાવી શકાશે. સોમનાથના રોજેરોજના લાઈવ દર્શન, આરતી તેમજ સાઈટ સીન, પ્રવાસન સ્થળો, હેરીટેજ વોક, ટેમ્પલ વોકની પણ માહિતી મળશે. આ નવિન વેબ પોર્ટલ પણ અમિતભાઇ શાહે લોન્ચ કર્યુ હતું.