આજે સુરતીઓને વધુ એક ભેટ મળશે. આજે સુરતમાં દેશના પ્રથમ 'થ્રી-લેયર ફ્લાયઓવર બ્રિજ'નું C.R પાટીલના હસ્તે લોકાર્પણ કરાશે.
સુરતમાં મલ્ટી લેયર અને મલ્ટી ડિરેક્શન ફ્લાયઓવર બ્રિજ તૈયાર
દેશના પ્રથમ 'થ્રી-લેયર ફ્લાયઓવર બ્રિજ'નું આજે લોકાર્પણ
C.R પાટીલ અને મંત્રી વિનુ મોરડિયા કરશે લોકાર્પણ
બ્રિજ સિટીના હુલામણા નામથી ઓળખાતા સુરત શહેરમાં વધુ એક બ્રિજનું લોકાર્પણ કરવામાં આવશે. સુરત-મુંબઇ વેસ્ટર્ન રેલવે લાઇન પર સુરત મહાનગરપાલિકા દ્વારા આ બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે. સુરતની શાનમાં વધારો કરે એવો આ બ્રિજ 133.50 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. સુરત શહેરમાં આ 116મો બ્રિજ તૈયાર થયો છે. આ બ્રિજનું લોકાર્પણ સી.આર.પાટીલ અને મંત્રી વિનુ મોરડિયા દ્વારા કરવામાં આવશે.
133.50 કરોડના ખર્ચે તૈયાર થયેલા બ્રિજનું C.R પાટીલ કરશે લોકાર્પણ
મહાનગરપાલિકા (SMC) દ્વારા સુરત-મુંબઈ વેસ્ટર્ન રેલવેલાઈન (Surat-Mumbai Western Railway) ઉપર સહારા દરવાજા રેલવે ગરનાળા ઉપર તથા સુરત-બારડોલી(Surat-Bardoli) રોડ પર કરણીમાતા જંકશન (Karnimata Junction) પર અંદાજિત રૂપિયા 133.50 કરોડના ખર્ચે તૈયાર થયેલા આ બ્રીજનું સી.આર.પાટીલ અને મંત્રી વિનુ મોરડિયાના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે.
નવનિર્મિત સુરતની શાન સમા અને ગુજરાતના સૌ પ્રથમ મલ્ટીલેયર અને મલ્ટી ડિરેક્શન રેલવે ઓવરબ્રિજ/ફ્લાય ઓવરબ્રિજનું સાંસદ સી.આર.પાટીલ(CR Patil)ના હસ્તે તારીખ 19 જૂને એટલે કે આજ રોજ સાંજના 05:00 કલાકે લોકાર્પણ કરવામાં આવશે. કડોદરાથી સહારા દરવાજા તરફ આવેલા અવધ ટેક્ષટાઈલ માર્કેટ ખાતે લોકાર્પણ સમારોહ યોજાશે. આજ રોજ સાંજના 05:00 કલાકે આ ફ્લાય ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવશે. કડોદરાથી સહારા દરવાજા તરફ આવેલા અવધ ટેક્ષટાઈલ માર્કેટ ખાતે લોકાર્પણ સમારોહ યોજાશે.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 19, 2022
સુરતમાં અંદાજિત સવા સો જેટલાં ફ્લાયઓવર ઓવરબ્રિજ/ફ્લાય આવેલા છે
તમને જણાવી દઇએ કે, બ્રિજ સિટીના હુલામણા નામથી ઓળખાતા સુરતમાં અંદાજિત સવા સો જેટલાં ફ્લાયઓવર ઓવરબ્રિજ/ફ્લાય આવેલા છે. જેમાં એક કેબલ સ્ટેઈડ બ્રિજ પણ આવેલો છે. ત્યારે આજે ફરી એકવાર મલ્ટીલેયર બ્રિજના કારણે શહેરની શાનમાં વધારો થવા જઈ રહ્યો છે.