ગુજરાતમાં વિકાસના કાર્યોનુ કામ તેજ ગતિએ ચાલી રહ્યું છે. ત્યારે આજે જામનગરની જનતાને રાજ્યસરકારે ભેટ આપી. 214 કરોડના ખર્ચે વિકાસના કાર્યોનું આજે સીએમ ભૂપેન્દ્રપટેલના હસ્તે ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું. શહેરમાં બ્રિજ દિગ્જામ સર્કલથી એરફોર્સ રોડ સુધી ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે જેને સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખુલ્લો મુકાયો.
90 કરોડના ખર્ચે બનેલા પ્લાન્ટનું લોકાર્પણ
આ સાથે જ સીએમના હસ્તે નવાગામ ઘેડ ખાતે 90 કરોડના ખર્ચે બનેલા પ્લાન્ટનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું. આ ઉપરાંત ડી.આઈ. પાઈપ લાઈન દ્વારા વોટર સપ્લાય સહિતના કામોનું ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ પ્રસંગે સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્યો અને મેયર સહિત જામનગર ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા.
Live: માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp દ્વારા વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જામનગર મહાનગરપાલિકાના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત. https://t.co/BxM7uZpGvA
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંગળવારે સાંજે અમદાવાદથી વંદે ગુજરાત વિકાસ યાત્રાનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, ર૦ વર્ષનો વિકાસ અને ર૦ વર્ષનો વિશ્વાસ એ બેય શબ્દો એકબીજાના પર્યાય બની ગયા છે તે ગુજરાતે સિદ્ધ કરી બતાવ્યું છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતની અવિરત વિકાસ યાત્રાના બે-અઢી દાયકા પહેલાં રોપેલાં બીજથી આજે ગુજરાત વિકાસનું રોલ મોડેલ-દેશનું ગ્રોથ એન્જીન બન્યુ છે. વડાપ્રધાનના નેતૃત્વમાં દેશ આગળ વધી રહ્યો છે અને ગુજરાત પણ તેજ ગતિથી અગ્રેસર રહ્યું છે. લોકોએ આપણામાં મૂકેલો વિશ્વાસ વિકાસ સ્વરૂપે આપણે પરત આપ્યો છે એમ મુખ્યમંત્રીએ આ તકે જણાવ્યું હતું.
શું છે હેતુ?
રાજ્યમાં પાછલા બે દશકમાં થયેલા જનહિત કામો, લોકકલ્યાણ યોજનાઓ અને વિકાસની ગાથા પ્રજાજનો સુધી પહોચાડવા વંદે ગુજરાત વિકાસ યાત્રા તા.પ થી ૧૯ જુલાઇ દરમ્યાન રાજ્યભરમાં યોજાવાની છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ યાત્રાનો રાજ્યવ્યાપી પ્રારંભ 5 જુલાઇએ અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટથી કરાવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં જીલ્લા કક્ષાએ મંત્રીમંડળના સભ્યો સહિત પદાધિકારીઓની ઉપસ્થિતિમાં આ યાત્રાનો શુભારંભ થયો છે. ૮૨ વંદે ગુજરાત વિકાસ રથ સાથે તા. 5 થી 19 જુલાઇ-૨૦૨૨ દરમિયાન યોજાનારી આ યાત્રા રાજ્યના 33 જીલ્લાઓ, 8 મહાનગરપાલિકાઓ અને તમામ ગામડા-વોર્ડમાં પરિભ્રમણ કરશે. જે અંતર્ગત રાજ્યભરમાં 2500 થી વધુ કાર્યક્રમો યોજાશે અને ૨૫ હજારથી વધુ નવા વિકાસ કાર્યોની ઘોષણા અને લોકાર્પણ કરાશે.