મધ્યપ્રદેશના રાજ્યપાલ અને મૂળ મહેસાણાના ખરોડ ગામના વતની આનંદીબેન પટેલ આજે પોતાના વતન એવા ખરોડ ગામે પહોંચ્યા હતા. જ્યાં રાજ્યપાલ આનંદીબેન પટેલના હસ્તે ખરોડ ગામે માધ્યમિક શાળામાં નવીન સ્માર્ટ રૂમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતુ. ઉપરાંત અંતિમધામમાં પ્રતિક્ષાલય અને વાઈફાઈ સિસ્ટમનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ ખરોડ ગામના વતની હોવાથી ગ્રામજનોમાં પણ ઘણો ઉત્સાહ જોવા મળ્યો હતો.
ખરોડ પહોચેલા આનંદીબેન પટેલે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે મેં એવું કોઈ કામ કર્યું નથી કે કોઈ આવીને મને છરી પણ બતાવે. જેથી ભોપાલ પહોચીને મેં છ દિવસ રાજભવનના દરવાજા પણ જાહેર જનતા માટે ખોલાવી નાખ્યા હતા.