ભારતે યુરોપના દેશોને કોવિશિલ્ડને મંજૂરી આપવાનું જણાવ્યું હતું
ભારતીયો હવે યુરોપના 7 દેશોમાં જઈ શકશે
યુરોપીય સંઘના કયા દેશો સામેલ
યુરોપના 7 દેશમાં ઓસ્ટ્રીયા, જર્મની, સ્લોવેનિયા, ગ્રીસ, આઈસેલન્ડ, આયરલેન્ડ, સ્પેન અને સ્વિઝલેન્ડ સામેલ છે. આ સાત દેશોએ ભારતની કોવિશિલ્ડને મંજૂરી આપી દીધી છે. આ મંજૂરી યાત્રા માટે ઘણી જરુરી હતી. હાલના સમયમાં કોઈ પણ દેશની યાત્રા માટે વેક્સિન પાસપોર્ટ અત્યંત જરુરી છે.
ભારતે યુરોપીયન યુનિયનને જણાવ્યું છે કે જો તે ભારતીય વેક્સિનને મંજૂરી નહીં આપે તો યુરોપથી અહીં આવતા પ્રવાસીઓને 14 દિવસમાં ક્વોરન્ટાઈનમાં રહેવું પડશે. સૂત્રોના જણાવ્યાનુસાર યુરોપિયન યુનિયનના ડિઝિટલ કોવિડ સર્ટિફિકેટમાં કોવિશિલ્ડ અને કોવેક્સિનને અધિસૂચિત કરવી જોઈએ જેથી કરીને ભારતથી ત્યાં જનાર નાગરિકોને કોઈ તકલીફ ન પડે. હાલના સમયમાં કોઈ પણ દેશની યાત્રા માટે વેક્સિન પાસપોર્ટ જરુરી છે.
રસી નિર્માતા કંપની સીરમ ઈંસ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાએ મુખ્ય કાર્યકારી અધિકારી અદાર પૂનાવાલાએ બુધવારે કહ્યું કે કંપનીને એક મહિનામાં પોતાની કોવિડ રસી કોવિશીલ્ડ માટે યુરોપિયન મેડિસિન એજન્સી(ઈએમએ)ની મંજૂરી મળવાનો ભરોસો છે. પૂનાવાલાએ એમ પણ કહ્યું કે રસી પાસપોર્ટના મુદ્દા દેશની વચ્ચે પરસ્પર આધાર પર હોવા જોઈએ.
નોકરી અથવા ભણવા માટે મોટી સંખ્યા ભારતીયો યુરોપીય દેશોમાં જતા હોય છે પરંતુ ભારતીય વેક્સિનને પાસપોર્ટ સાથે સંલગ્નની મંજૂરી ન મળતા તેમને તકલીફ વેઠવી પડે છે. વિદેશ મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું કે જો જો યુરોપિયન યુનિયને તેવું આ વલણ ન બદલ્યું તો ભારત પણ વેક્સિનેશનલ સર્ટિફિકેટ અંગે જવાબી નીતિ લાગુ પાડશે. યુરોપિયન યુનિયન આવું નહીં કરે તો ત્યાં વેક્સિન લઈને આવતા પ્રવાસીઓને 14 દિવસના ક્વોરન્ટાઈનમાં રાખવા પડશે.
કોવિશિલ્ડ દુનિયામાં પાંચમા નંબરે
ChAdOx1 nCoV-2019 એટલે કે ઓક્સફર્ડ / એસ્ટ્રાજેનેકાની એટલે કે ભારતના સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયામાં બનેલી કોવિશીલ્ડ છે. આ વેક્સિન પાંચમા નંબરે આવે છે. તેની ક્ષમતા 70 ટકાની છે. બંને ડોઝ લીધા બાદ આ વેક્સિનની ક્ષમતા 90 ટકા રહે છે.
ચોથા નંબરે નોવાવૈક્સ કંપનીની વેક્સીન
ચોથા નંબરે નોવાવૈક્સ કંપનીની NVX-CoV2373 વેક્સિન આવે છે. કોરોનાના વિરોધમાં તેની અસરકારકતા 89 ટકા છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં હાલના સમયે ચાર કોરોના વેક્સિનને મંજૂરી મળી ગઈ છે. તાજેતરમાં અમેરિકાની મોડર્ના વેક્સિનને પણ મંજૂરી મળી છે.