વીરપુરમાં સમૂહ લગ્નમાં વર અને કન્યા પક્ષે રૂપિયા 11 -11 હજાર ભર્યા બાદ,કરિયાવરમાં આપવાની વસ્તુઓનો આયોજકોએ વાયદો ના પાળતા થયો હોબાળો.આયોજકોની છેતરપીંડી ?
બાપા જલારામના થાનકમાં જ છેતરપીંડી
વિરપૂરમાં સમૂહ લગ્નમાં થયો ભારે ડખો
સમૂહલગ્નનું આયોજન પ્રતિષ્ઠા અને પૈસા માટે ?
સૌરાષ્ટ્રના સંત શિરોમણી બાપા જલારામના વીરપુરમાં સમૂહ લગ્ન આયોજિત થયા હતા. વર અને કન્યા પક્ષે રૂપિયા 11 -11 હજાર ભર્યા બાદ,કરિયાવરમાં આપવાની વસ્તુઓનો આયોજકોએ વાયદો ના પાળતા હોબાળો મચી ગયો હતો. આયોજકોએ આ સમૂહ લગ્નમાં નામ નોંધાવનાર કન્યા અને વર પક્ષને કહ્યું હતું કે, 55 ચીજ-વસ્તુઓ નવદંપતીને આપવામાં આવશે. તેના બદલે માત્ર પાંચ જ વસ્તુ આપી હતી. પરિણામે સમૂહ લગ્નના આયોજનમાં નાણા ઓળવી ગયા જેવા આક્ષેપો આયોજકો સામે થયા છે.
કન્યા પધરાવો સાવધાન !
વીરપુરમાં સેન સમાજના સમૂહલગ્નમાં હોબાળો થયાનો મામલો સામે આવ્યો છે. સમૂહલગ્નમાં કરિયાવરની સામગ્રીને લઇ તકરાર થઇ. જેનો વીડિયો સામે આવ્યો છે. આયોજકોએ જે સામગ્રી આપવાનું કહ્યું હતું તે ન આપતા બબાલ થઇ. વર પક્ષે 11 હજાર અને કન્યા પક્ષે 11 હજાર રૂપિયા ભર્યા હતા. અને સામે 55 વસ્તુ આપવાનું આયોજકોએ કહ્યું હતું. જો કે 5 જ વસ્તુ આપવામાં આવી. જેને લઇ આયોજક સાથે બોલાચાલી થઇ. ત્યારે બબાલ થતા કેટલાક લોકોના પૈસા પણ પરત કરવામાં આવ્યા છે. સમૂહલગ્નમાં નક્કી કરાયેલું કરિયાવર કેમ ન અપાયું?. શું આયોજકોએ પૈસા પડાવવા માટે સમૂહલગ્ન યોજ્યા હતા? 55 વસ્તુઓની સામે 5 જ વસ્તુઓ કેમ અપાઇ?. સમૂહલગ્નમાં અવ્યવસ્થા કેમ કરવામાં આવી?. આવા આયોજકો સામે કાર્યવાહી કેમ નથી કરાતી?.