ઉત્તરપ્રદેશમાં વારણસી અને જૌનપુરમાં આયકર વિભાગ દ્વારા જ્વેલર્સના માલિકોના ત્યા રેડ કરવામાં આવી છે. આયકર વિભાગને એવી માહિતી મળી હતી કે રાજકિય પક્ષોને તેઓ રૂપિયા આપતા હતા
વારાણસી અને જૌનપુરમાં આયકર વિભાગની રેડ
ગહના કોઠી જ્વેલર્સના માલિકના ત્યા કરી રેડ
કૃતિકુંજ જ્વેલર્સમા માલિકના ઘરે પણ દરોડા પાડ્યા
ઉત્તરપ્રદેશમાં આવેલ વારાણસી અને જૌનપુરમાં આયકર વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. અહીયા મોટા વેપારીઓની દુકાનમાં તેમજ તેમના ઘરમાં આયકર વિભાગ દ્વારા રેડ કરવામાં આવી છે. જેમના ત્યા રેડ કરવામાં આવી છે તેમના પર એવા આરોપ લાગ્યા છે કે અમુક રાજકીય પાર્ટી અને નેતાઓને તેઓ રૂપિયા આપતા હતા.
માહિતી મળતા ઓપરેશન હાથ ધરાયું
ઉત્તરપ્રદેશમાં હાલ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરતા લાખો કરોડો રૂપિયા જમા કરવા અને લેણદેણ કરવાને લઈને મોટી માહિતી આયકર વિભાગને મળી હતી. જે માહિતીને આધારે આયકર વિભાગની ટીમ દ્વારા સોમવારે સવારથીજ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આયકર વિભાગ સાથે જોડાયેલા સૂત્રો પ્રમાણે ઘણા બધા જ્વેલર્સ સામે થોડા દિવસ અગાઉ માહિતી મળી હતી.
ગહેના કોઠી જ્વેલર્સના માલિકના ત્યા રેડ પાડી
પ્રાપ્ત થતી માહિતી અનુસાર ગહના કોઠી જ્વેલર્સ, કૃતિકુંજ જ્વેલર્સના ત્યા પણ આયકર વિભાગ દ્વારા રેડ કરવામાં આવી છે. ગહના કોઢી પોતાને જૌનપુરનાા સૌથી ઉચ્ચ ગુણવત્તાવાળા જ્વેલર્સ નિર્માતા ગણાવે છે. આ જ્વેલરી શોપના પ્રમુખ હાલ વિનીત શેઠ સહિત ઘણા અન્ય પારિવારીક સદસ્યો પણ છે.
કૃતિકુંજ જ્વેલર્સના માલિકાના ઘરે પણ દરોડા પાડ્યા
બીજી તરફ કૃતિકુંજ જ્વેલર્સના માલિક નન્હેલાલ વર્માના ઘરે અને તેમના અન્ય સ્થળો પર રેડ કરવામાં આવી છે. જેમા દસ્તાવેજો સહિતના પુરાવાઓ શોધવામાં આવી રહ્યા છે. અગાઉ તેમના જમાઈના ત્યા પણ સીબીઆઈ દ્વારા રેડ કરવામાં આવી હતી. તેમના જમાઈ રેલ્વેમાં અધિકારી છે. જોકે 6 મહિના પહેલા તેમના ત્યા રેડ કરવામાં આવી હતી તે સમયે સીબીઆઈને તેમની સામે ઘણા પુરવાઓ મળ્યા હતા.
કાલ સાંજ સુધીમાં આયકર વિભાગ પુરાવાઓ રજૂ કરશે
ઉલ્લેખનીય છે કે હાલ આયકર વિભાગ દ્વારા જે રેડ કરવામાં આવી છે. તેમા સર્ચ ઓપરેશન દરમિયાન કયા કયા પુરવાઓ હાથ લાગે છે તે કાલ સાંજ સુધીમાં ખબર પડશે. જોકે સૂત્રો દ્વારા એવી માહિતી પણ સામે આવી છે કે આયકર વિભાગને ઘણા મહત્વપૂર્ણ પુરાવાઓ મળ્યા છે. જેમા આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.