વડોદરામા નવાનકોર રોડમા માત્ર 10 જ દિવસમાં ડામર ઓગળી જતા તંત્ર અને કોન્ટ્રાકટરની કામગીરી સામે સવાલો ઉભા થયા હતા.
વડોદરામાં ડામરનો રોડ પીગળ્યો
10 દિવસ પહેલા બનેલો રોડ પીગળ્યો
રોડ પીગળતા કામગીરી પર ઉઠ્યા સવાલ
વડોદરામાં રોડ પર પાથરેલો ડામર પીગળ્યો હોવાનો કિસ્સો પ્રકાસમાં આવ્યો છે. જેમાં હાથી ખાનાથી કુંભારવાડા સુધીના રોડ 10 દિવસ પહેલા જ બનાવેલામાં આવ્યો હતો. જેમાં ડામર પીગળતા સવાલો ઉઠી રહ્યા છે. આ તરફ રોડ બનાવતી વખતે યોગ્ય રીતે રેતી ન નાખવાના કારણે ડામર પીગળી ગયો હોવાનો આરોપ લાગી રહ્યા છે. જોકે રોડ પીગળવાના કારણે રાહદારીઓ અને વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. તંત્રના પાપે પરેશાની વેઠવાનો વારો આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
કોન્ટ્રાક્ટરની કામગીરી પર સવાલ ઉઠ્યા
વડોદરામાં ડામરનો રોડ પીગળતા લોકોએ રસ્તાના કામમાં મોટા પાયે ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે. ડામર ઓગળી જવાથી રાહદારીઓના પગરખા પણ ડામરમાં ચોટી જતા હતા. તેમજ વાહનોના ટાયર પણ ચોટી જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવા પડી રહ્યો છે તેમજ 10 દિવસમાં ડામર પીગળી જતા કોન્ટ્રાક્ટરની કામગીરી પર સવાલ ઉઠ્યા છે. વિપક્ષે 35 ડિગ્રી તાપમાનમાં 10 દિવસમાં ડામર ઉખડી જતા સત્તાધારી પક્ષ પર પ્રહાર કર્યા હતા અને કોન્ટ્રાક્ટર અને જવાબદાર સામેે કાર્યવાહી કરવાની માગ કરી હતી.ત્યારે જોવાનુંએ રહ્યું કે વડોદરા મહાનગર પાલિકા કોન્ટ્રાક્ટર સામે ક્યારે કાર્યવાહી કરશે કે કેમ?
ડેપ્યુટી કમિશનર હસમુખ પ્રજાપતિએ કહ્યું કે
બીજી બાજુ વડોદરામાં રોડ પીગળવા મામલે ડેપ્યુટી કમિશનર હસમુખ પ્રજાપતિનું નિવેદન સામે આવ્યું છે. જેમાં ડામરનું પ્રમાણ વધુ હોવાથી ડામર પીગળ્યો હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું કે 15 દિવસ પહેલા રોડ બનાવવામાં આવ્યો હતો. પરંતુ ગરમી વધવાના કારણે રોડ પર ડામર પીગળ્યો છે. આ મામલે સૂચના આપી દેવાઈ હોવાનું જણાવ્યું છે. આ બાબત ધ્યાનમાં આવતાની સાથે જ કોન્ટ્રાકટર દ્વારા રેતી નાખવાની કામગીરી કરવામાં આવી હતી. સળગતા સવાલો
કોન્ટ્રાક્ટર કેમ નથી કરતા યોગ્ય રીતે કામ ?
નબળી કામગીરી સામે ક્યારે લેવાશે એક્શન ?
લોકોને ક્યારે મળશે યોગ્ય રસ્તા ?
રસ્તાના કામમાં ક્યારે અટકશે ભ્રષ્ટાચાર ?
ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટર પર કેમ નથી થતી કાર્યવાહી ?