પ્રિયંકા ગાંધીએ આજે લખનૌમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમા તેમણે કહ્યું કે ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં મહિલાઓને આ વખતે 40 ટકા ટિકીટ આપવામાં આવશે. સાથેજ પ્રિયંકાએ મહિલાઓને "લડકી હૂં લડ શકતી હૂં" નું સૂત્ર પણ આપ્યું
ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસ 40 ટકા ટિકીટ મહિલાઓને આપશે
સ્ત્રીઓને લડકી હૂં લડ સકતી હૂં નું સૂત્ર આપ્યું
યોગી સરકાર પર પ્રિયંકા ગાંધીના આકરા પ્રહાર
आने वाले उत्तर प्रदेश के चुनावों में हम 40% टिकट (उम्मीदवार) हम महिलाओं को देंगें... यह निर्णय उन सब महिलाओं के लिए है जो चाहती हैं कि उत्तर प्रदेश में बदलाव आए, प्रदेश आगे बढ़े: कांग्रेस महासचिव प्रियंका गांधी, लखनऊ pic.twitter.com/B7iIEbgTjr
ઉત્તરપ્રદેશમાં વિધાનસભા ચુંટણીને લઈને કોંગ્રેસે માસ્ટર પ્લાન તેયાર કર્યો છે. કોંગ્રેસ દ્વારા 40 ટકા ટિકટો મહિલાઓને આપવામાં આવશે. પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધીએ લખનઉમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમા તેમણે એવું કહ્યું કે કોંગ્રેસના આ નિર્ણયને કારણે પીડિત મહિલાઓને ન્યાય મળશે.
મહિલાઓને આપ્યું સૂત્ર
વધુમા પ્રિયંકા ગાંધીએ કહ્યું કે આ નિર્ણય એ દરેક મહિલાઓ માટે છે કે જેઓ ઉત્તરપ્રદેશમાં બદલાવ ઈચ્છે . આ સાથેજ પ્રિયંકા ગાંધીએ ઉત્તરપ્રદેશમાં એવુ સૂત્ર આપ્યું કે લડકી હૂં લડ સકતી હૂં.
મોટા ભાગની મહિલાઓ નેતાઓના પરિવારથી
જોકે કોંગ્રેસે ભલે મહિલાઓને 40 ટકા ટિકિટ આપવાનો વાયદો કર્યો હોય પરંતુ તેમા મોટા ભાગની મહિલાઓ નેતાઓના પરિવારી છે. પ્રિયંકા ગાધીએ પણ તેમની પ્રેસ કોન્ફરન્સમાં પરિવારવાદનું સમર્થન કર્યું હતું. જ્યારે તેમને પુછવામાં આવ્યું કે તમે નેતાઓના પરિવારની મહિલાઓનેજ ટિકીટ આપી છે, ત્યારે તેમણે કહ્યું તેમા કોઈ વાંધાનો વિષય નથી.
મંચ પર માત્ર 2 મહિલા હાજર
કોંગ્રેસે ભલે 40 ટકા ટિકટ મહિલાઓને આપવાનું કહ્યું હોય પરતું આજે પ્રેસ કોન્ફરન્સમાં પણ સ્ટેજ પર 7 પુરુષો હાજર હતા જ્યારે પ્રિયંકા ગાંધીની આસપાસ માત્ર 2 મહિલાઓ બેઠી હતી. જેથી તેનો અંદાજો લગાવી શકાય છે. પાર્ટી દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે તે નિર્ણય તેમના માટે પડકાર જનક રહેવાનો છે.
યોગી સરકાર પર કર્યા પ્રહાર
ઉલ્લેખનીય છે કે પ્રેસ કોન્ફરન્સમાં પ્રિયંકા ગાંધીએ લખમપુર ગીરીની હિંસાનો તો ઉલ્લેખ કર્યો સાથેજ શાહજહાપુરમાં કોર્ટની અંદર જે રીતે વકીલની હત્યા કરવામાં આવી હતી તેને લઈને પણ તેમણે યોગી સરકાર પર નિશાન સાધ્યું હતું સાથેજ કહ્યું કે ઉત્તરપ્રદેશમા હવે કોઈ સુરક્ષીત નથી પછી તે મહિલા હોય ખેડૂત હોય કે પછી વકીલ હોય.