જમ્મુ કાશ્મીરના ઉરીમાં સેના દ્વારા 3 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. આતંકીઓ પાસેથી સેનાને મોટા 5 AK-47 સહિત 70 હેન્ડ ગ્રેનેડ પણ મળી આવ્યા છે.
ઉરીમાં સેનાએ 3 આતંકીઓને કર્યા ઠાર
POKમાંથી ધુસણખોરી કરીને આવ્યા હતા આતંકીઓ
5 દિવસથી સેનાનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું હતું
Indian Army has eliminated 3 terrorists in Rampur sector near Uri on LoC. The terrorists had recently crossed over from Pakistan-occupied Kashmir into Indian side. Indian Army has recovered 5 AK-47s, 8 pistols & 70 hand grenades from terrorists killed in operation: Govt sources
જમ્મુ કાશ્મીરના ઉરી નજીક રામપુર સેક્ટર પાસે સેના દ્વારા ત્રણ આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. જે આતંકીઓનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું તેમની પાસેથી સેનાને મોટા પ્રમાણમાં હથિયાર મળી આવ્યા છે. સેનાનું કહેવું છે કે આતંકીઓ થોડાક સમય પહેલાજ POKમાંથી કાશ્મીરમાં ઘુસ્યા હતા.
A movement was observed in Hathlanga forest early this morning. The attempt was eliminated, with neutralization of 3 terrorists... A similar attempt was made on (September) 18, which was foiled: Lt Gen DP Pandey, General Officer Commanding (GOC), Srinagar's Chinar Corps(15 Corps) pic.twitter.com/V7j5ZAbFun
લેફ્ટિનેંટ જનરલ ડીપી પાંડેય દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું છે કે હાથલંગાના જંગલોમાં આતંકીઓએ ઘુસણખોરી કરવા જઈ રહ્યા હતા. પરંતુ તેઓ નિષ્ફળ કરહ્યા. જે આતંકીઓ માર્યા ગયા તેમાથી એક આતંકી પાકિસ્તાની હોવાનું સામે આવ્યું છે. જ્યારે અન્ય બે આતંકીઓ વીશે સેના તપાસ કરી રહી છે.
પાંચ AK-47 આતંકીઓ પાસેથી મળી આવી
આંતકિઓ પાસેથી પાંચ AK-47 , 7 પિસ્તોલ, 24 યૂજીબીએલ ગ્રેનેડ અને 38 ચીની હાથગોળા મળી આવ્યા છે. સાથેજ તેમની પાસેથી પાકિસ્તાની ગ્રેનેડ અને 35 હજાર પાકિસ્તાની મુદ્રા પણ મળી આવી છે. સેના દ્વારા કહેવામાં આવ્યું કે LOC પાસેથી આતંકીઓની ઘુસણખોરી હવે વધી રહી છે. આ બધી ગતિવિધિ પાકિસ્તાની સેનાના કમાંડરોની જાણકારી વગર ન થઈ શકે.
ઈન્ટરનેટ સેવા હાલમાં બંધ
ઉલ્લેખનીય છે કે સેનાના પહેલાથી જાણ હતી કે ઉરીમાં આતંકીઓ ઘુસ્યા છે. જેને લઈને તેમણે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. હાલ ત્યા ઈન્ટરનેટ સેવા પણ બંધ કરી દેવામાં આવી છે. સેના દ્વારા ગત 18 સપ્ટેમ્બરથી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જેને લઈને તમામ પ્રકારની સેવાઓ ત્યા બંધ કરી દેવામાં આવી હતી.