ટ્વિટર અને સરકાર વચ્ચે ફરી વાર વિવાદ પેદા થયો છે અને તેથી હવે ટ્વિટર હાઈકોર્ટને શરણે પહોંચ્યું છે.
ટ્વિટર હવે ફરી ચર્ચામાં આવ્યું
કેન્દ્ર સરકારની સામે કર્ણાટક હાઈકોર્ટમાં કરી અરજી
કન્ટેન્ટ્સ હટાવવાના કેન્દ્રના ઓર્ડરને પડકાર્યો
કહ્યું- કન્ટેન્ટ્સ બ્લોક કરવાનો આદેશ આઈટી નિયમોથી અલગ
સોશિયલ મીડિયા જાયન્ટ ટ્વિટરે કેન્દ્ર સરકારના કન્ટેન્ટને હટાવવાના આદેશને પડકારતા કર્ણાટક હાઈકોર્ટમાં અરજી કરી છે. મંગળવારે, ટ્વિટરે ભારત સરકારના 2021 ના આદેશ સામે કોર્ટમાં અરજી કરી હતી. ગયા વર્ષે કેન્દ્ર સરકારે ટ્વિટર, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામને કેટલીક સામગ્રી દૂર કરવા જણાવ્યું હતું. આમાંની કેટલીક પોસ્ટ્સ કોરોનાવાયરસ સંક્રમણ સંબંધિત હતી. જે લોકોને તેમના એકાઉન્ટમાં પ્રકાશિત સામગ્રીને ડિલીટ કરવાનું કહેવામાં આવ્યું હતું તેમાં બંગાળના સીએમ મમતા બેનર્જી, કોંગ્રેસના પ્રવક્તા પવન ખેરા અને વિનોદ કપરીનો સમાવેશ થાય છે.
Twitter is seeking to overturn some Indian government orders to take down content on the social media platform, a source familiar with the matter said, in a legal challenge which alleges abuse of power by officials: Reuters
સરકારે ટ્વિટરને વિવાદાસ્પદ કન્ટેન્ટ્સ હટાવવાનો આપ્યો હતો ઓર્ડર
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે જાન્યુઆરી અને એપ્રિલમાં ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રાલયે ટ્વિટરને કટેલાક ટ્વિટ્સ હટાવવાનો આદેશ આપ્યો હતો. સરકારે કહ્યું હતું કે આદેશનું ઉલ્લંઘન કરવા બદલ ટ્વિટરના ચીફ કમ્પ્લાયન્સ ઓફિસર સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે. આઈટી એક્ટની કલમ 69(એ) મુજબ જો કોઈ સોશિયલ મીડિયા પોસ્ટ કે એકાઉન્ટ દેશની સંપ્રભુતા અને અખંડતા વિરુદ્ધ સોશિયલ સિસ્ટમ કે પોસ્ટ કન્ટેન્ટને ડિસ્ટર્બ કરી શકે છે તો સરકાર આવી પોસ્ટ અને એકાઉન્ટ સામે કાર્યવાહી કરી શકે છે.
કન્ટેન્ટ બ્લોક કરવાનો આદેશ આઈટી એક્ટની કલમ 69એથી અલગ-ટ્વિટર
કન્ટેન્ટ્સ હટાવવાના કેન્દ્રના ઓર્ડરને પડકારતા હાઈકોર્ટમાં કરેલી અરજીમાં ટ્વિટરે એવું કહ્યું કે કન્ટેન્ટ બ્લોક કરવાનો આદેશ આઈટી એક્ટની કલમ 69એથી અલગ છે તેથી સરકાર તેને આવો કોઈ આદેશ ન આપી શકે.
#WATCH | An ecosystem, thought process that social media should be held accountable, is spreading in our country as well as globally...Rapid work underway on how to make it accountable: Union IT Minister Ashwini Vaishnaw to ANI pic.twitter.com/vQ2VjleVzK
ભારતમાં સોશિયલ મીડિયા તેમના કન્ટેન્ટ્સ માટે જવાબદાર રહેશે-આઈટી મિનિસ્ટર વૈષ્ણવ
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે ભારતમાં સોશિયલ મીડિયા તેમના કન્ટેન્ટ્સ માટે જવાબદાર રહેશે. મંગળવારે એક નિવેદનમાં વૈષ્ણવે કહ્યું કે, "વૈશ્વિક સ્તરે સોશિયલ મીડિયાની જવાબદારી એક મોટો પ્રશ્ન બની ગયો છે." જવાબદારી માટે, પ્રથમ સ્વ-નિયમન જરૂરી છે, પછી ઉદ્યોગનું નિયમન જરૂરી છે. ટ્વિટર દ્વારા સરકારની નોટિસ અંગે કાનૂની અભિપ્રાય લેવાનો નિર્ણય લેવામાં આવ્યા બાદ આઇટી પ્રધાન વૈષ્ણવે આ નિવેદન જારી કર્યું હતું.