આમ તો સમાજમાં ખાખી વરદીને નફરત ભરી રીતે જોવામાં આવે છે પરંતુ રોફ જમાવવાની વાત આવે ત્યારે સૌને ડ્રેસધારી પોલીસ નજર સામે તરી આવે છે. આવા જ આસયથી જામનગરમાં એક સખ્સે પહેરી લીધી પીએસઆઇની વર્ધી. પણ જાજો સમય પોતાનો નકલી રોફ છુપાવી ન સક્યોને પકડાઈ ગયો અસલી પોલીસના હાથે. યુવાને કેમ વર્દી પહેરી ? કોણ છે આ શખ્સ? કેવા કારનામાં કર્યા છે આ નકલી પીએસઆઈએ? આવો જોઈએ આ સ્પેશિયલ રીપોર્ટમાં.
જામનગરમાં પંચેસ્વર ટાવર નજીક એક સંકાશ્પદ પીએસઆઈ ઉભો હોવાની હકીકત મળતા એ ડીવીજન પોલીસ ત્વરિત ટાવર પહોચી ગઈ હતી. કમરે એરગન લટકાવેલ. પીએસઆઈની વર્ધી પહેરેલ પોલીસ કર્મીને પડકાર્યો. યુવાને આપેલ નામ ગામ અને પોસ્ટીંગ સહિતની વિગતોમાં વિસંગતતા જણાઈ આવી. જેથી પોલીસે.આ પીએસઆઈને દફતર લઇ ગઈ પોલીસ અને પછી સમગ્ર હકીકત બહાર આવી ગઈ.
પોલીસ પુછ્પરછ દરમિયાન આ સખ્સે પ્રથમ પોતાની ઓળખ પીએસઆઈ તરીકેની આપી. હાલમાં જ નવી બેન્ચમાં છે. પ્રથમ નિમણુક સુરત ખાતે થઇ હોવાનુ જણાવ્યું. ડ્રેસ હુબહુ પોલીસનો જ પહેર્યો હતો પરંતુ પોલીસની શંકા વધુ પ્રબળ બની. જ્યારે આ પીએસઆઇની ગન પર નજર પડી. આ સખ્સે લટકાવેલી ગન એરગન નીકળતા પોલીસની સંકા વધુ પ્રબળ બની. પોલીસની ઘનિષ્ઠ પૂછપરછમાં યુવાન પડી ભાંગ્યો અને પોતે નકલી પીએસઆઈ હોવાની કબુલાત કરી લીધી.
જામનગરમાં સ્નાતક તરીકેનો અભ્યાસ પૂરો કરી અક્ષય અંકલેશ્વરની એક ખાનગી કમ્પનીમાં સુપરવાઈઝર તરીકે નોકરી કરતા અક્ષયે તાજેતરમાં ભરૂચની જ એક ત્યકતા સાથે પ્રેમ લગ્ન કર્યા. ચાર વર્ષીય ઓરમાન પુત્રી સાથે ઘરે આવેલ પત્નીતો હજુ મીકેનીકલ એન્જીનીયરીંગનો અભ્યાસ કરે છે. મહીને સોળ હજાર કમાય છે. પ્રેમ લગ્નની જાણ જામનગરના માતા-પિતાએ અક્ષય સાથે સંબંધ કાપી નાખ્યા હતા.
જામનગરના યુવાને નકલી પીએસઆઈ બનવાનું મન માનવી લીધું. પોતાના જ એક જાણીતા શખ્સ પાસે બનાવ્યો એપોઈન્મેન્ટ લેટર પછી અમદાવાદ જઈ રૂપિયા ત્રણ હજારમાં પોલીસનો ડ્રેસ એર ગન બક્કલ-પટ્ટો અને બુટની ખરીદી કરી. અમદાવાદના જે સો રૂમમાંથી ડ્રેસ ખરીદ્યો હતો તેના માલિકે જ પીએસઆઈ તરીકેનો એપોઇન્મેન્ટ લેટર પણ બનાવી આપ્યો હતો અને અક્ષયને એવી ધરપત આપી હતી કે ક્યાય પણ પકડાશે તો તે સેટલમેન્ટ કરાવી આપશે.
અક્ષયના માતા-પિતાને ઈચ્છા હતી કે અક્ષય પીએસઆઈ બને પોતે પોલીસખાતામાં જઈ શકે .નોકરીના કપરા સંજોગો થઇ જતા અક્ષયે નકલી પોલીસ બની માતા-પિતા પાસે જવાનો નિર્ધાર કર્યો. માત્ર એક દિવસની તો વાત હતી. માતા-પિતાને એમ લાગે કે પુત્ર પીએસઆઈ બની ગયો છે અને ફરીથી સંબંધો શરુ કરે. બીજી તરફ એક જ દિવસમાં બધું પતી જાય એટલે વર્ધી કાઢી નાખવાની પણ અક્ષયને ક્યાં ખબર હતી. અસલ પોલીસ પકડી લેશે.
જામનગરના પૂર્વ એસપી પ્રદીપ શેજુલને પોતાના આઇકન માનતા અક્ષયે બે વર્ષ પૂર્વે જામનગરમાં યોજયેલ કારકિર્દી સેમિનારમાં ભાગ લીધો હતો. જ્યાં આ આઈપીએસ અધિકારીએ આપેલ સ્પીચથી તે અભીભુત થયો હતો અને નક્કી કર્યું હતું કે આઈપીએસ બનવું છે પરંતુ સત્ય હકીકત એ છે કે દીવા સ્વપ્નમાં રાચતો અક્ષય બે-બે વખતની તલાટીની પરીક્ષા પણ પાસ કરી સક્યો નથી.