ગુજરાતમાં હવે બહુચરાજી, શામળાજી સહિતના ધાર્મિક સ્થળોએ ભીખ નહીં માંગી શકાય. આ માટે ગુજરાતમાં કડક કાયદા બહાર પાડવામાં આવ્યા છે. રાજ્યમાં ધાર્મિક સ્થળો ઉપર ભીખારી ભીખ નહીં માંગી શકે.
ભીખારીઓ નહીં માંગી શકે ભીખ
જૂનાગઢ, ડાકોર, સિધ્ધપુરમાં પણ લાગુ
પાલિતાણા, ચાંપાનેર, શામળાજીમાં પણ લાગશે કાનૂન
ગુજરાતમાં આ માટે ગુજરાત ભિક્ષા પ્રતિબંધક અધિનિયમ - 1959 અમલમાં છે. આ કાયદામાં અઅધિનિયમ 1959ની કલમ 1ની પેટા કલમ 3માં કરવામાં આવેલી જોગવાઈ કરવામાં આવી છે જે પ્રમાણે રાજ્ય સરકાર આ અંગે જાહેરનામું પ્રસિધ્ધ કરી શકે છે. આ અંગે રાજ્યના કોઈ વિસ્તાર માટે નક્કી કરેલી તારીખથી આ જોગવાઈ અમલી બનાવાશે.
કયા વિસ્તારમાં થશે અમલ
જૂનાગઢ મહા નગરપાલિકા વિસ્તાર, ડાકોર, સિધ્ધપુર અને પાલિતાણા નગરપાલિકા વિસ્તાર તેમજ ચાંપાનેર (પાવાગઢ), બહુચરાજી અને શામળાજી ગ્રામ પંચાયત વિસ્તારમાં ગુજરાત ભિક્ષા પ્રતિબંધક અધિનિયમ-1959નો અમલ કરવાનો રહશે.