વલસાડમાં સેન્ટ જોસેફ કોન્વેન્ટ સ્કૂલમાં અભ્યાસ કરતા એક બાળકોનો કરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે.
શાળામાં એક વિદ્યાર્થીનો રિપોર્ટ પોઝિટિવ
વલસાડની સેન્ટ જોસેફ સ્કૂલમાં વિદ્યાર્થી સંક્રમિત
સંપર્કમાં આવેલા 58 વિદ્યાર્થીઓના કરાયા ટેસ્ટ
સમગ્ર રાજ્યમાં કોરોના સંક્રમણ કાબૂમાં છે પરતું હવે વધુ પડતી છુટછાટને લઈને લોકો બેદરકાર જોવા મળી રહ્યા છે, શાળાઓમાં પણ નિયમોની ઐસીતૈસી જોવા મળે છે ત્યારે વલસાડમાં સેન્ટ જોસેફ કોન્વેન્ટ સ્કૂલમાં અભ્યાસ કરતા એક બાળકોનો કરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે.
વલસાડની સેન્ટ જોસેફ સ્કૂલમાં વિદ્યાર્થી સંક્રમિત
હાલ તો વિદ્યાર્થીના સંપર્કમાં આવેલ 58 વિદ્યાર્થીઓના ટેસ્ટ કરાયા તેમજ શંકાસ્પદ કેસ જણાયા તેવા વિદ્યાર્થીઓને આરોગ્ય વિભાગે RTPCR ટેસ્ટ કરાવવાની ઝૂંબેશ હાથ ધરી છે સાથે જ ક્વોરોન્ટાઇન કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. શંકાસ્પદ લક્ષણો ધરાવતા લોકોને આરોગ્યો વિભાગ દ્વારા ક્વોરોન્ટાઇન કરવામાં આવી આવી રહ્યા છે.
એમિક્રોન વેરિએન્ટ દેશમાં ત્રીજી લહેર લાવી શકે
મહત્વનું છે કે હાલ કોરોનાનો નવો એમિક્રોન વેરિએન્ટ એ ડેલ્ટા વેરિએન્ટ કરતા પણ વધુ ઘાતક મનાઈ રહ્યો છે, એમિક્રોન વેરિએન્ટ દેશ અને દુનિયામાં ફરી ખોફ પેદા કર્યો છે ત્યારે જેમાં ભારત પણ બાકાત રહી શક્યું નથી, હાલ ભારતમાં એમિક્રોમ વેરિએન્ટના બે કેસ સામે આવ્યા છે પરતું કોરોના કેસ પણ હવે ધીમે ધીમે વધારો નોંધાઈ રહ્યો છે મહત્વનું છે કે ભારતના ટોચના વૈજ્ઞાનિકે કહ્યું છે ઓમિક્રોન વેરિયન્ટમાં એ તમામ એલિમેન્ટ્સ છે, જે દેશમાં ત્રીજી લહેર લાવી શકે છે. ત્યારે હવે ભારતમાં અનેક રાજ્યમાં છુટછાટને પગલે કોરોનાની સંભવિત ત્રીજી લહેરનો ખતરો જાવા મળી રહ્યો છે.