શુકવારે દિલ્હીમાં એનસીઆર ખાતે ધ લલિત ગ્રુપમાં દરોડા પાડવામાં આવ્યા હતા. સુત્રોએ જાણકારી આપી છે કે ત્યાંથી 1000 કરોડ જેટલી સંપતિ મળી આવી છે તેવું અનુમાન છે. તપાસમાં ઘરેલું સ્તર પર 55 કરોડની કરચોરી પકડાઈ છે.
દિલ્હી સ્થિત ધ લલિત ગ્રુપમાં શુક્રવારે આઈટીના દરોડા પડ્યા હતા. જેમાં 1000થી વધારે વિદેશી સંપતિ પકડાઈ તેવો અંદાજ છે. દિલ્હીમાં એનસીઆર સ્થિત 13 ઠેકાણે દરોડા પાડવામાં આવ્યા હતા. તપાસમાં ઘરેલું સ્તર પર 55 કરોડની કરચોરી પકડાઈ હતી. આ ઉપરાંત ગ્રુપ પાસે કાળુનાણુ ભેગું કરવાની પણ જાણ થઈ છે.
લલિત ગ્રુપ હોટેલે દેશમાં 1990ના દાયકામાં શરુ કરી હતી. જ્યારે બ્રિટન તેમજ યુએઈમાં પણ સંપતિ ધરાવતું આ ગ્રુપ પર કરચોરીનો મોટો આરોપ છે. અને વિદેશી બેન્કોમાં જમા રકમ વગેરે સામેલ થઈ ને 1000 કરોડ રૂપિયા વિદેશી સંપતિ જમા હોય તેવું અનુમાન છે.