ભારત દેશને સંતોની ભૂમી કહેવામાં આવે છે. ભારતમાં અનેક રહસ્યો છુપાયેલા છે. ભારતમાં એવા અનેક સ્થાન છે જે આજે પણ લોકો માટે રહસ્ય બનેલું છે.
આજે અમે તમને એક રહસ્યમય ગુફા વિશે જણાવશું જેને દુનિયાનો છેડો માનવામાં આવે છે. ઉત્તરાખંડના પિથૌરાગઢમાં આવેલી પાતાલ ભુવનેશ્વર ગુફા પ્રત્યે લોકો ખૂબ આસ્થા ધરાવે છે.
આ ગુફા વિશાળ પર્વત પર 90 ફૂટ અંદર છે. આ ગુફા ઉત્તરાખંડના કુમાઉં મંડલના પ્રસિદ્ધ નગર અલ્મોડાના શેરઘાટ પર થઈ અને 160 કિલોમીટર દૂર ગંગોલીહાટમાં આવેલી છે. પાતાલ ભુવનેશ્વરની ગુફા કોઈ આશ્ચર્યથી કમ નથી.
માન્યતા છે કે આ ગુફામાં પડેલા પથ્થર પરથી અંદાજ લગાવી શકાય છે કે દુનિયાનો અંત ક્યારે થશે. આ ગુફાની ખોજ ભગવાન શિવના પરમ ભક્ત અને અયોધ્યાના રાજા ઋતુપર્ણાએ કરી હતી. સ્થાનિકોના જણાવ્યાનુસાર આ ગુફામાં ગણેશજીનું કપાયેલું માથું છે. સાથે જ આ ગુફામાં દુનિયાના અંતનું રહસ્ય પણ છુપાયેલું છે.
આ ગુફામાં જવું મુશ્કેલ છે તેમાં પ્રવેશ કરવાની સાથે એક પછી એક અનેક ગુફાઓ જોવા મળે છે. ગુફાની અંદર 180 દાદર છે. ગુફાની અંદર એક રૂમ છે જ્યાં અંદાજે 33 હજાર દેવી દેવતાની મૂર્તિઓ છે. અહીં વહેતું પાણી પણ છે અહીં સૌથી પહેલા ગણેશજીની પૂજા કરવામાં આવે છે.