રાજ્યમાં હજુ પણ કમોસમી વરસાદ વરસતા ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કમોસમી વરસાદનાં કારણે ઘઉં. એરંડા, ધાણા, જીરૂ સહિતનાં પાકને નુકશાન થવાની ભીંતિ સેવાઈ રહી છે.
રાજ્યમાં હજુ અમુક જગ્યાએ કમોસમી વરસાદ વરસવાનું ચાલુ છે. ત્યારે દ્વારકાનાં ખંભાળિયાનાં વડત્રા ગામમાં કમોસમી વરસાદ પડ્યો હતો. વડત્રા ગામ સહિતના આજુબાજુનાં વિસ્તારમાં માવઠું પડ્યું હતું. કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થવા પામ્યો છે.
ઘઉં, એરંડા, ધાણા, જીરુ સહિતના નુકસાનની ભીતિ
ધોરાજી પંથકનાં કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ વરસતા પાકને નુકશાન થવાનીં ભીંતી સેવાઈ રહી છે. ત્યારે કમોસમી વરસાદ વરસતા ખેડૂતોનીં ચિંતામાં વધારો થયો હતો. કમોસમી વરસાદનાં કારણે ઘઉં. એરંડા, ધાણા, જીરૂ સહિતનાં પાકને નુકશાન થવાની ભીંતિ સેવાઈ રહી છે.
નખત્રાણા, મુંદ્રા, લખપત, અંજારના વિસ્તારોમાં વરસાદ
કચ્છમાં પણ સતત ત્રીજા દિવસે કમોસમી વરસાદ વરસ્યો હતો. ત્યારે નખત્રાણા, મુંદ્રા, લખપત, અંજારનાં વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. ત્યારે ભારે પવન તેમજ કરા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો.
સર્વે કર્યા બાદ રાજ્ય સરકાર યોગ્ય સહાય આપશેઃઋષિકેશ પટેલ
કમોસમી વરસાદ અંગે સરકારનાં પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર માવઠા માટે સર્વે કરાવશે. તેમજ CM મુખ્ય ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં એક બેઠક મળી ગઈ છે. ત્યારે હજુ રાજ્યમાં માવઠું થવાની સંભાવના છે. એટલા માટે રાજ્ય સરકાર સર્વે માટે રાહ જોઈ રહી છે. સર્વે કર્યા બાદ રાજ્ય સરકાર યોગ્ય સહાય આપશે.