દેશમાં કોરોનાની બીજી લહેરનો પ્રકોપ છે પરંતુ હવે બાળકોમાં પણ કોરોનાની અસર જોવા મળે છે ત્યારે ત્રીજી લહેર બાળકો માટે ભયંકર સાબિત થઇ શકે છે.
કોરોનાની ત્રીજી લહેર આવશે
બાળકો થશે સૌથી વધુ પ્રભાવિત
મહારાષ્ટ્રમાં આવશે સૌથી પહેલા ત્રીજી લહેર
2020માં વૃદ્ધોને કોરોનાએ ઝપેટમાં લીધા હતા ત્યારે હવે કેટલાક એક્સપર્ટનું કહેવુ છે કે ત્રીજી લહેરમાં બાળકો સૌથી વધુ સંક્રમિત થશે. આ દરમિયાન 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકો વાયરસનો શિકાર બનશે.
મહારાષ્ટ્રથી શરૂ થશે ત્રીજી લહેર
મિડીયા રિપોર્ટ પ્રમાણે કોરોના વાયરસની ત્રીજી લહેરની શરૂઆત મહારાષ્ટ્રથી થશે. હજુ આ વાત પર એક્સપર્ટે કંઇ કહ્યું નથી કે ત્રીજી લહેર ક્યારે શરૂ થશે પરંતુ તેવુ માનવામાં આવી રહ્યું છે તે જુલાઇથી સપ્ટેમ્બર મહિનામાં બાળકોને સૌથી વધુ પ્રભાવિત કરશે.
તૈયારીઓમાં લાગી મહારાષ્ટ્ર સરકાર
એક્સપર્ટે મહારાષ્ટ્રને સલાહ આપી કે જુલાઇમાં ત્રીજી લહેર શરૂ થશે અને ત્રીજી લહેરમાં બાળકો પ્રભાવિત થશે અને તેમાં સરકારે અત્યારથી તેની તૈયારી શરૂ કરી દેવી જોઇએ. મુંબઇ મ્યુનસિપલ કોર્પોરેશનશિશુ કોવિડ કેર ફેસીલીટી સ્થાપિત કરવાની યોજના બનાવી રહ્યું છે.
હેલ્થ એક્સપર્ટનું કહેવુ છે કે જેવી રીતે કોરોના વાયરસનો શરીર પર હુમલો વધે છે તે રીતે ઇમ્યૂન સિસ્ટમ પણ નબળી થતી જાય છે. વાયરસ બીજા બોડી પાર્ટ્સમાં સોજો લાવે છે. જો તે વ્યક્તિને ડાયબિટીઝ કે મેદસ્વિતા જેવી બિમારી છે તો તેના શરીર પર વધારે અસર થાય છે.
હ્રદય પર હુમલો
જે લોકોને હાર્ટની બિમારી છે કે જેમનુ મેટાબોલિઝમ સિસ્ટમ ખરાબ છે તે લોકોને કોરોનાની ઝપેટમાં આવવાનો ખતરો સૌથી વધારે છે. કોરોનાના વાયરસ શરીરની માંસપેશીઓમાં સોજો લાવે છે અને બાદમાં હોસ્પિટલમાં દાખલ કરવા પડે છે.
ન્યૂરોલોજીકલ સમસ્યા
આ વિશે કોરોનામાં પેશન્ટને માથાનો દુખાવો, ટક્કર આવવુ, ધૂંધળુ દેખાવુ જેવા લક્ષણ સામે આવ્યા છે. એક સ્ટડી અનુસાર વુહાનમાં હોસ્પિટલમાં દાખલ 214માંથી એક ત્રૃતિયાંશ લોકોમાં આવા લક્ષણ જોવા મળ્યા હતા. કહેવામાં આવે છે કે કોરોનાનો અસર લાંબા સમય સુધી જોવા મળે છે.
કિડની પર હુમલો
કોરોનાની અસર લાંબા સમય સુધી રહે તો વ્યક્તિની કીડની પર અસર કરે છે. કીડનીની સમસ્યા વધી જાય છે અને કિડની સહિત ઘણા અંગોની કોશીકાઓ સંક્રમિત થઇ જાય છે. કિડનીના ટિશ્યુ પર પણ અસર પડે છે અને તેના કારણે યુરિનની માત્રા ઓછી થઇ જાય છે.