લગ્ન સંબંધ નક્કી થતાં જ દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેણે વહેલામાં વહેલી તકે લગ્ન કરી લેવા જોઈએ જેથી તે તેની દુલ્હનનો ચહેરો જોઈ શકે. પરંતુ ઉત્તરપ્રદેશમાં એક લગ્ન દરમિયાન એવી વિચિત્ર ઘટના બની કે દરેકને આશ્ચર્ય થાય છે.
જુવાન યુવતીની તસવીર દેખાડી આધેડ યુવતી સાથે લગ્ન
ઘુંઘટ કાઢતા જ છેતરપિંડીનો ઉકેલાયો ભેદ
લગ્ન ન કરવા પર મારવાની આપી ધમકી
આ સમગ્ર ઘટના ઉત્તરપ્રદેશના ઇટાવા જિલ્લાના સિવિલ પોલીસ સ્ટેશન વિસ્તારના વિજયપુરા ગામની છે. જ્યાં શત્રુધન નામના શખ્સના લગ્ન 27 ઓગસ્ટ એટલે કે શુક્રવારે થયા હતા. પરંતુ લગ્નના નામે તેણી સાથે છેતરપિંડી કરવામાં આવી હતી. લગ્ન પહેલા વરરાજાને 20 વર્ષની યુવતીની તસવીર દેખાડવામાં આવી હતી. જ્યારે લગ્નનો સમય આવ્યો ત્યારે, 45 વર્ષની મહિલા, બે બાળકોની માતાને મંડપમાં બેસાડવામાં આવી હતી. ત્યારબાદ જ્યારે દુલ્હને ઘુંઘટ કાઢ્યો ત્યારે વરરાજા મંડપ છોડીને ભાગી ગયો હતો.
દલાલી લઈને 20 વર્ષની છોકરીની દેખાડી હતી તસવીર
આવી છેતરપિંડીની ઘટના સામે આવતા જ વરરાજા સીધા પોલીસ સ્ટેશન પહોંચ્યા અને છેતરપિંડી કરનારાઓ સામે કેસ નોંધાવ્યો. પીડિતે જણાવ્યું કે, "બે દલાલોએ મારા લગ્ન કરવા માટે એક 20 વર્ષની છોકરીની તસવીર દેખાડી હતી. તેના બદલામાં તેઓએ મારા પાસેથી 35 હજાર રૂપિયા એડવાન્સ તરીકે પણ લીધા હતા. મારો પરિવાર ખૂબ ખુશ હતો કે ઘરમાં વહુ આવશે.
ઘુંઘટ કાઢતા જ છેતરપિંડીનો ઉકેલાયો ભેદ
વરરાજાએ જણાવ્યું કે, "લગ્નની તારીખ 27 ઓગસ્ટ નક્કી કરવામાં આવી હતી. આ સાથે તેમણે કહ્યું કે લગ્નની તમામ વિધિઓ નીલકંઠ મંદિરમાં જ થશે. મારી સાથે મારી માસી પણ હતી, તેમણે લગ્ન વિશે બધી વાત કરી હતી. ત્યારબાદ મેં એક હજાર રૂપિયા અને મીઠાઈનો ડબ્બો યુવતીને શગુન તરીકે આપ્યો હતો. યુવતી સાથે લાંબા સમય સુધી વાતચીત પણ ચાલી રહી હતી, પરંતુ તેની સાથે વાત કર્યા બાદ એવું લાગ્યું નહીં કે તે નકલી છે. જણાવેલા સમય અનુસાર છોકરાના પરિવારજનો મંદિર પહોંચી ગયા હતા. તમામ વિધિઓ પૂર્ણ થયા બાદ કન્યા મંડપમાં બેસી ગઈ હતી. તે દરમિયાન, વરરાજાની માતા ઈન્દિરા દેવીને કન્યાનો શરીર જોઈને થોડી શંકા થઈ હતી. જ્યારે તેણે કન્યાને ઘૂંઘટ કાઢવાનું કહ્યું ત્યારે તે 20 વર્ષની છોકરી નહોતી પણ એક આધેડ મહિલા હતી.
લગ્ન ન કરવા પર મારવાની આપી ધમકી
વરરાજાની માતા ઇન્દિરા દેવીએ જણાવ્યું કે "જ્યારે અમે બે બાળકોની માતા સાથે લગ્ન કરવાની ના પાડી તો એ લોકો અમને માર મારવાનું શરૂ કર્યું હતું. તેઓ લાકડી લઈને ઊભા રહ્યા અને કહ્યું કે તારો પુત્ર લગ્ન નહીં કરે તો તમારા બંનેની હત્યા કરી દઇશ. અમે જેમતેમ કરીને ભાગી ગયા અને પોલીસ સ્ટેશનપહોંચ્યા હતા. આ મામલાની તપાસ કરી રહેલા સિટી એસપી કપિલ દેવ સિંહે કહ્યું કે પીડિત પરિવારની ફરિયાદ પર કેસ નોંધવામાં આવ્યો છે. હાલ આરોપીઓ ફરાર છે, પરંતુ ટુંક સમયમાં જ તેમને કસ્ટડીમાં લઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.