મહિલા કોર્પોરેટરોએ સોશિયલ મીડિયા પર 'લડકી હું, લડ શક્તિ હું' ઝૂબેશ શરૂ કરી, શહેઝાદ પઠાણે પણ આપી પ્રતિક્રિયા
શહેઝાદ પઠાણની પ્રતિક્રિયા
"વિપક્ષ નેતાનો ઉકેલ જલ્દીથી આવશે"
કોંગ્રેસની મહિલા કોર્પોરેટરો આકરા મૂડમાં
'લડકી હું, લડ શક્તિ હું' ઝૂબેશ શરૂ કરી
રાજીનામા બાદ કોંગ્રેસની મહિલા કોર્પોરેટરો આકરા મૂડમાં જોવા મળી રહી છે. મહિલા કોર્પોરેટરોએ પોતાના પક્ષમાં ઝૂંબેશ શરૂ કરી દીધી છે. સોશિયલ મીડિયા પર 'લડકી હું, લડ શક્તિ હું'ના નારા સાથે પોસ્ટ મૂકી વિરોધ વ્યકત કર્યો છે. પ્રિયંકા ગાંધીએ યુપીમાં 'લડકી હું, લડ શક્તિ હું' અભિયાન શરૂ કર્યું છે. આ વખતે કોંગ્રેસની મહિલા કોર્પોરેટરોની માંગ છે કે AMC વિપક્ષ નેતાના પદ માટે આ વખતે મહિલાઑને સ્થાન આપવામાં આવે.
મને કોંગ્રેસમાંથી કોઈ ફોન નથી આવ્યો કે વિપક્ષ નેતા: શહેઝાદ પઠાણ
કોંગ્રેસ પાર્ટી દ્વારા શહેજાદ ખાન પઠાણે વિપક્ષના નેતા તરીકે પહેલા એક વર્ષ માટે બનાવવાનો નિર્ણય લીધો હોવાની સાથે 10 કાઉન્સિલરોનો વિરોધનો સૂર ઉઠ્યો છે. આ મામલે શહેઝાનખાન પઠાણે પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યુ હતું કે મને કોંગ્રેસમાંથી કોઈ ફોન નથી આવ્યો કે વિપક્ષ નેતા તમેં છો. અને બધા કોર્પોરેટરને એવું હોય કે સારો હોદ્દો અને પદ મળે. છેલ્લા 1 વર્ષથી વિપક્ષ ખાલી છે પ્રજાના અનેક પ્રશ્નો વણઉકેલ્યા છે. મને આશા છે કે AMC માં વિપક્ષ નેતાનો ઉકેલ જલ્દીથી આવશે.
શહેજાદખાન પઠાણના નામ સામે અન્ય જૂથને વાંધો
ગુજરાત વિધાનસભા ચુંટણી આડે માત્ર 10 મહિના બાકી છે ત્યારે, કોંગ્રેસમાં 'એક સાંધતા તેર તૂટે છે' માંડ માંડ પ્રદેશ પ્રમુખ અને વિપક્ષી નેતાનો લાંબા સમયથી ગૂંચવાયેલો મુદ્દો સુલ્જ્યો, ત્યાંજ અમદાવાદ મહાનગર પાલિકામાં કોંગ્રેસના 10 નગર સેવકોએ રાજીનામાં આપતા 'ઉકળતા ચરુ' જેવી સ્થિતિ સર્જાઈ છે. કોંગ્રેસ નેતા સી જે ચાવડાએ આ મુદ્દે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, બે નિરીક્ષકો નિમાયા છે જેમાં એક હું અને બીજા નરેશ રાવલ છે'. જે કઈ હશે તેનો આગામી સમયમાં નિર્ણય લેવાશે. જો કે, તેમ કહ્યું કે, રાજીનામાં જેવી કોઈ વાત નથી. એક ફોર્મ્યુલા પ્રમાણે 4 વર્ષ માટે 4 લોકોને એક- એક વર્ષ માટે વિપક્ષના નેતા બનાવવાનો રીપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે.
ક્યાં-ક્યાં કોંગ્રેસ કોર્પોરેટરોના રાજીનામા?
કમળાબેન ચાવડા
નીરવ બક્ષી
રાજશ્રી કેસરી
ઇકબાલ શેખ
હાજી મિર્જા
તસનીમ તિર્મિઝી
જમના વેગડા
નીરવ બક્ષી
માધુરી કલાપી
માધુરી કલાપી
કામિનીબેન ઝા
ઇકબાલ શેખ
અમદાવાદ મહા નગર પાલિકામાં મહાપાલિકાની ચૂંટણી બાદ હજુ સુધી વિરોધ પક્ષના નેતાની વરાયા નથી.ત્યારે શહેજાદખાન પઠાણનું વિપક્ષના નેતા બનવાનું નક્કી થવાની વાત સામે આવતા, શહેઝાદ વિરોધી બીજું જૂથ મેદાનમાં ઉતર્યું છે, અને શહેઝાદને પદ આપાવા અંગે વિરોધ નોંધાવી રહ્યું છે. મહાનગર પાલિકામાં 14 કોર્પોરેટરે માંથી 10 જેટલા કોર્પોરેટરે કોન્ગ્રેસના પ્રદેશ પ્રમુખને રજૂઆત કરી હતી, જેમાંથી 10એ રાજીનામા આપી દીધા છે.