In the recruitment of teachers and teaching assistants, the recruitment process in institutions related to students with disabilities will be accelerated: Jitu Vaghani
નિર્ણય /
શિક્ષક અને શિક્ષણ સહાયકની ભરતીમાં મહત્વનો નિર્ણય, સરકારે તજજ્ઞ સમિતિના સુધારા લાગુ કર્યા, વાઘાણીએ આપી માહિતી
Team VTV10:40 PM, 13 Oct 22
| Updated: 10:43 PM, 13 Oct 22
શિક્ષક અને શિક્ષણ સહાયકની ભરતીમાં તજજ્ઞ સમિતિ દ્વારા સૂચવેલ સુધારા લાગુ કરાયા : વાઘાણી
શિક્ષક અને શિક્ષણ સહાયકની ભરતીમાં મહત્વનો નિર્ણય
રાજ્ય સરકારે ભરતીના નિયમોમાં સુધારા કર્યા
"દિવ્યાંગ વિદ્યાર્થીઓ સાથે જોડાયેલી સંસ્થાઓમા ભરતી પ્રક્રિયા ઝડપી થશે"
શિક્ષક અને શિક્ષણ સહાયકની ભરતીમાં ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓને શિક્ષણમાં સરળતા રહે તે મોટી જાહેરાત કરવામાં આવી છે. શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ ટ્વિટ કરીને જણાવ્યું છે કે તજજ્ઞ સમિતિ દ્વારા સૂચવેલ સુધારા મુજબદિવ્યાંગ વિદ્યાર્થીઓ સાથે જોડાયેલી સંસ્થાઓમા ભરતી પ્રક્રિયા ઝડપી થશે. આપને જણાવી દઈએ કે સરકારના આ નિર્ણયથી દિવ્યાંગને ભણાવવા માટે શિક્ષકને જરૂરિયાત મુજબ તાત્કાલિક ખાલી જગ્યામાં ભરી દેવામાં આવશે. જેનો ફાયદો દિવ્યાંગોને ઝડપી અને સારા શિક્ષણના રૂપમાં થશે.
જીતુ વાઘાણીએ ટ્વિટ કરી શું જાહેરાત કરી
રાજ્યની મા.અને ઉ.મા.શાળાઓમા શિક્ષક/શિક્ષણ સહાયકની ભરતી માટે તજજ્ઞ સમિતિ દ્વારા સૂચવેલ સુધારા કરાયા,જેથી દિવ્યાંગ વિદ્યાર્થીઓ સાથે જોડાયેલ સંસ્થાઓમા શિક્ષકોની ભરતી પ્રક્રિયા ઝડપી થશે,દિવ્યાંગ વિદ્યાર્થીઓને દિવ્યાંગતાની કેટેગરી મુજબ શિક્ષણકાર્ય કરાવે તેવા વિશિષ્ટ શિક્ષકો ઉપલબ્ધ થશે
વિધાસહાયકની 2600 જગ્યા પર ભરતી થશે
આ અગાઉ વિધાસહાયક ઉમેદવારો માટે દિવાળી પહેલા સારા સમાચાર આવી ગયા છે. 2600 વિદ્યાસહાયકોની ભરતી કરવાનો સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. જે અંગે બે દિવસ પહેલા સરકારે જાહેરાત પણ કરી દીધી છે. 2600 વિદ્યાસહાયકોની ભરતી પ્રક્રિયા શરૂ થશે. ધોરણ 1થી 5 માટે એક હજાર વિદ્યાસહાયકોની ભરતી થશે જ્યારે ધોરણ 6થી 8માં 1600 વિદ્યાસહાયકોની ભરતી કરશે તેવી માહિતી શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ ટ્વીટ કરી આપી હતી
રાજ્યની મા.અને ઉ.મા.શાળાઓમા શિક્ષક/શિક્ષણ સહાયકની ભરતી માટે તજજ્ઞ સમિતિ દ્વારા સૂચવેલ સુધારા કરાયા,જેથી દિવ્યાંગ વિદ્યાર્થીઓ સાથે જોડાયેલ સંસ્થાઓમા શિક્ષકોની ભરતી પ્રક્રિયા ઝડપી થશે,દિવ્યાંગ વિદ્યાર્થીઓને દિવ્યાંગતાની કેટેગરી મુજબ શિક્ષણકાર્ય કરાવે તેવા વિશિષ્ટ શિક્ષકો ઉપલબ્ધ થશે
આ પહેલા વિદ્યાસહાયક ભરતીમાં વિધવા બહેનો માટે મેરીટમાં 5 ટકા લાભ આપવાની કરી હતી જાહેરાત
મહત્વનું છે કે 4 ઓકટોબરના રોજ વિદ્યાસહાયક ભરતીને લઇને રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેમા વિદ્યાસહાયક ભરતીમાં વિધવા બહેનો માટે મેરીટમાં 5 ટકા લાભ આપવાની જાહેરાત કરવામાં આવી છેહતી. જે પ્રમાણે TET - 1 , TET - 2 પાસ વિધવા બહેનોને વિધાસહાયક ભરતીમાં વધારાના ૫ ટકા ગુણ આપવાનો રાજય સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. TET પરીક્ષામાં મેળવેલ ગુણના ૫૦ ટકા અને શૈક્ષણિક લાયકાતના મેળવેલ ગુણના ૫૦ ટકા ને ધ્યાને લઈ વિધાસહાયકનું મેરીટ તૈયાર કરવામાં આવે છે. આ રીતે તૈયાર થયેલ કુલ મેરીટમાં વિધવા ઉમેદવારને વધારાના ૫ ટકા ગુણ મેરીટમાં ઉમેરવામાં આવશે. તેમ જણાવાયું છે. વિધવા બહેનોને પણ નોકરીની તક મળી રહે તે હેતુથી રાજય સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે જે આગામી વિધાસહાયક ભરતીથી તેનો અમલ કરવામાં આવશે તેમ પ્રસિદ્ધ કરાયું હતું જે મુજબ 2600 વિદ્યાસહાયકોની ભરતી જાહેર થતાં વિધવા મહિલા ઉમેદવારોને 5 ટકા લાભ આપી દેવાયો છે.