નર્મદા જિલ્લાના રાજપીપળામાં જે લોકો રસી નહીં લે તેમને કામ ધંધો કરવા દેવાશે નહીં. આ પ્રકારનો કાયદો નર્મદા આરોગ્ય વિભાગે લાગૂ કર્યો છે, વેપારીઓ થયા નારાજ
RT-PCR ટેસ્ટ અને વેક્સિન ફરિજયાત
વેપારીઓમાં આ આદેશ બાદ રોષ
સ્વૈચ્છીક પાલન કરવા છતા દાદાગીરી?
રાજપીપળાના વેપારીઓએ RT-PCR ટેસ્ટ અને વેક્સિન લેવી જરૂરી બની છે. જે લોકો રસી નહીં લે તેમને કામ ધંધો કરવા દેવાશે નહીં. આ પ્રકારનો કાયદો નર્મદા આરોગ્ય વિભાગે લાગૂ કર્યો છે. રિક્ષામાં માઈક લઈને રસ્તાઓ પર જાહેરાત કરી રહ્યા છે. નર્મદાના વેપારીઓ પહેલાથી સ્વયંભૂ રીતે કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરી રહ્યા છે.
વેપારીઓનો આક્ષેપ, અધિકારીઓ કરી રહ્યા છે દાદાગીરી
ત્યારે આ નિર્ણયને કારણે લોકોની મુશ્કેલી વધી છે. અને વેપારીઓ રોષે ભરાયા છે અને અધીકારીઓ દાદગીરી કરી રહ્યા હોવાનો અઆરોપ લગાવી રહયા છે. વેપારીઓએ સ્વૈચ્છીક નિયમ બનાવ્યો છે કે, સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી જ દુકાનો ખુલ્લી રખાશે. તેમ છતાં કડક વલણથી વેપારી નારાજ થયા છે.
આરોગ્ય વિભાગે કોરોના ટેસ્ટનો ઢંઢેરો પીટાવ્યો
રાજપીપળાની બજારમાં આરોગ્ય વિભાગ દ્વારા લાઉડ સ્પિકર સાથે એક રિક્ષા ફેરવવામાં આવી હતી. અને લાઉડ સ્પિકર દ્વારા લોકોને સંદેશો અપાયો કે, જે તે વેપારીએ RT-PCR ટેસ્ટ કરવો ફરજિયાદ છે. અને નેગેટિવ રિપોર્ટ વેપારી પાસે હોવો જરૂરી છે. જો બજારમાં કોઈ વેપારી ટેસ્ટ કરાવશે નહીં. અને રિપોર્ટ રજૂ કરી શકશે નહીં. તેમને દૂકાન ખોલવા દેવામાં આવશે. નહીં.
મહત્વનું છે કે, મહીસાગર કોરોનાને લઈ તંત્ર એલર્ટ થયું છે. ગઈકાલે તંત્રએ લુણાવાડાની બજારો બંધ કરાવી દેતા વેપારીઓ નારાજ થયા છે. આગામી 15 દિવસ સુધી બજારો બંધ કરી દેવાઈ છે. મહિસાગરમાં દિવસે દિવસે વધતા કોરોના સંક્રમણને લઈ તંત્રએ આ નિર્ણય કર્યો છે.