વરસાદની ઋતુમાં ડેંગ્યુ અને ટાઇફોઇડ જેવી અનેક બીમારીઓનો ખતરો ઘણો વધી જાય છે
ચોમાસું તેની સાથે અઢળક બીમારીઓ લાવે છે
વરસાદી ઋતુમાં આસપાસ સાફસાફઇનું ખાસ ધ્યાન રાખવું જોઈએ
ડેંગ્યુ અને મલેરિયાના મચ્છરોથી બચવું ખૂબ જ જરૂરી છે
એ તો આપણે બધા જાણીએ છીએ કે ચોમાસું તેની સાથે અઢળક બીમારીઓ લાવે છે અને જો આ ઋતુમાં આપણે થોડી અસાવધાની દર્શાવશું તો તુરંત જ બીમારીની ચપેટમાં આવી જઈશું. વરસાદની ઋતુમાં ડેંગ્યુ અને ટાઇફોઇડ જેવી અનેક બીમારીઓનો ખતરો ઘણો વધી જાય છે. ખાસ કરીને જે બીમારી મચ્છર દ્વારા ફેલાય છે તેનો ખતરો વધે છે. એટલા માટે જ વરસાદી ઋતુમાં આસપાસ સાફસાફઇનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. આજે અમે તમને એ જણાવશું કે આ વરસાદી ઋતુમાં ફેલાતી બિમારીઓથી કેવી રીતે બચી શકાય છે.
ચોમાસામાં આ વાતોનું રાખો ખાસ ધ્યાન મચ્છરોથી બચો-
ડેંગ્યુ અને મલેરિયાના મચ્છરોથી બચવું ખૂબ જ જરૂરી છે. એટલા માટે આ ઋતુમાં સવાર સાંજ ફૂલ સ્લીવના કપડાં પહેરવા જોઈએ. જેથી મચ્છરો સામે સુરક્ષા મળી શકે. આ સિવાય મસ્કીટો કોઈલનો પણ વપરાશ કરવો જોઈએ. પૂરતું ધ્યાન રાખવાથી મચ્છરોના કરડવા પર ફેલાતી બીમારીઓથી બચી શકાય છે.
એક્સરસાઈઝ
રેગ્યુલર એકસરસાઈઝ સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભકારી છે. દિવસમાં ઓછામાં ઓછી 30 મિનિટ કસરત માટે જરૂર કાઢવી જોઈએ. અ તમને સ્કુર્તીલું રાખવામાં ઘણી મદદ કરે છે. અ સિવાય રોજ કસરત કરવાથી ઘણી બીમારીઓ દુર રહે છે. કારણકે કસરત કરવાથી ઈમ્યુનીટી મજબુત બને છે અને કોઈ બીમારીની ચપેટમાં સહેલાઈથી આવતા નથી.
ઊંઘ
સ્વસ્થ રહેવા માટે પુરતી ઊંઘ લેવી ખુબ જ જરૂરી છે. ઓછી નીંદર કરવાથી ડીપ્રેશન, કબજિયાત, હાઈ બ્લડપ્રેશર જેવી ઘણી બીમારીઓની ચપેટમાં તમે આવી શકો છો. એટલા માટે દરરોજ ઓછામાં ઓછી 7-8 કલાકની ઊંઘ લેવી જોઈએ.