પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે વારણસી ખાતે 'દિવ્ય કાશી, ભવ્ય કાશી' કાર્યક્રમમાં હાજરી આપવાના છે. આ કાર્યક્રમની ઉજવણી ગુજરાતમાં પણ યોજાવાની છે. રાજ્યના 25 હજાર જેટલા શિવાલયોમાં આ કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે. ઉતરપ્રદેશ સરકાર દ્વારા સાધુ સંતો માટે આયોજન કરી રહ્યા છે. ભવ્ય કાર્યક્રમમાં દેશભરના સાધુસંતો વારાણસીમાં હાજર રહેવા માટેનું આમંત્રણ આપવામાં આવ્યું છે. ત્યારે ગુજરાતમાં હાલ 48 સંતો હાજરી આપે તેવું આયોજન કરવામાં આવ્યું છે. જેમાંથી 15 જેટલા સાધુસંતો વારાણસી જતાં ખુશી વ્યકત કરી હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં પોતાના સૌથી મોટા ડ્રીમ પ્રોજેક્ટ કાશી કોરીડૉરનોલોકાર્પણ કરવા જઈ રહ્યા છે. આ લોકાર્પણની રાહ ઘણા મહાદેવ ભક્તો વર્ષોથી જોઈ રહ્યા છે.
પ્રધાનમંત્રી મોદી વારાણસીનાં સાસંદ બન્યા પછી આખા જિલ્લામાં અનેક કામો કરવામાં આવ્યા છે પરંતુ ભગવાન ભોળાનાથનાં મંદિરનું રિનોવેશન સૌથી મહત્વપૂર્ણ ગણવામાં આવી રહ્યું છે.
આવતીકાલના કાર્યક્રમને લઈને કેટલાય દિવસથી ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી છે.આખી કાશી નગરીની કાયાપલટ કરવામાં આવી છે અને હવે બસ આવતીકાલે લોકાર્પણ થાય તેની આતુરતાથી રાહ જોવાઈ રહી છે.આવતીકાલે પ્રધાનમંત્રી મોદીની સાથે સાથે અનેક સંતો અને મહંતો કાર્યક્રમમાં હાજર રહેવાના છે, 12 જ્યોતિર્લિંગ અને 51 સિદ્ધપીઠોનાં પૂજારીઓની ઉપસ્થિતિમાં પીએમ મોદીના હસ્તે આવતીકાલે કોરિડોરનું ઉદ્ઘાટન કરવામાં આવશે.
કરોડોના કોરિડોરનો લોકાર્પણ
નોંધનીય છે કે વર્ષ 2019માં આ પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી હતી અને તે બાદ આજનું કાશી વિશ્વનાથ મંદિર તદ્દન અલગ જ લાગી રહ્યું છે.હવે ગંગાઘાટ સીધા જ પરમેશ્વર મહાદેવના દર્શન થઈ શકશે, આખા કોરિડોરમાં 125 નાના મોટા મંદિરો બનાવવામાં આવ્યા છે.શ્રી કાશી વિશ્વનાથ મંદિરનાં કાર્યપાલક સમિતિનાં અધ્યક્ષ દિપક અગ્રવાલે કહ્યું કે આ એક ઐતિહાસિક ક્ષણ છે, સદીઓ પછી કાશી વિશ્વનાથ મંદિરણો જીર્ણોદ્ધાર થયો છે. લોકો સૈકાઓ સુધી આ કામને યાદ કરશે.
આટલું જ નહીં 14, 15 અને 16 ડિસેમ્બરે વારાણસીનાં દરેક ઘરમાં મહાદેવનો વિશેષ પ્રસાદ અને એક પુસ્તક પહોંચાડવામાં આવશે.લોકોના ઘરે ઘરે અપાશે પ્રસાદ, જગમગી ઉઠશે મહાદેવની નગરી આટલું જ નહીં 14, 15 અને 16 ડિસેમ્બરે વારાણસીનાં દરેક ઘરમાં મહાદેવનો વિશેષ પ્રસાદ અને એક પુસ્તક પહોંચાડવામાં આવશે.