ત્રિપુરાના ધલાઈ જિલ્લામાં એસિડને દારૂ સમજીને પી જનારા ત્રણ લોકોના મોત થયા છે. પોલીસે બુધવારે તેની માહિતી આપી.
ત્રિપુરાના ધલાઈ જિલ્લામાં ત્રણ લોકોના મોત
દારૂના નશામાં ચૂર યુવકો ભૂલ્યાં ભાન
પાર્ટીમાં દારૂ સમજીને એસિડ પી ગયા ત્રણેય યુવકો
ભૂલથી દારૂના બદલે એસિડ પી લીધુ
પોલીસે જણાવ્યું કે આ મામલો ત્રિપુરાના ધલાઈ જિલ્લામાં માનુ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયો. સબ ડિવિઝનલ પોલીસ ઓફિસર રત્ન સાધન જમાટિયા મુજબ, મૃતક ત્રણ લોકોની ઓળખ 22 વર્ષીય સચિન્દ્ર રિયાંગ, 40 વર્ષીય અધિરામ રિયાંગ અને 38 વર્ષીય ભાબીરામ રિયાંગ તરીકે થઇ છે. એસડીપીઓએ જણાવ્યું કે ત્રણેય લોકોએ દારૂના નશામાં ભૂલથી દારૂના બદલે એસિડ ગટગટાવી લીધુ.
ત્રણેય લોકોને દારૂ અને એસિડમાં કોઈ ફરક ના દેખાયો: પોલીસ
સ્થાનિક લોકો મુજબ, મૃતકોમાંથી એક ભાબીરામની પત્ની અને બાળકો શુક્રવારે પોતાના પિયરે ગયા. ત્યારબાદ સોમવારે ભાબીરામને સૂચના મળી કે તેમના દીકરાની તબિયત ખરાબ છે અને ભાબીરામ પણ પોતાના દીકરાને મળવા સાસરિયે પહોંચ્યાં. ઉલ્લેખનીય છે કે, સોમવારે રાત્રે કંચનચરા વિસ્તારમાં એક પાર્ટી રાખવામાં આવી. જેમાં 10 લોકો હાજર રહ્યાં હતા. વધારે દારૂ પીધો હોવાથી ત્રણેય લોકોએ ભૂલથી એસિડ ગટગટાવી લીધુ. પોલીસે જણાવ્યું કે, ત્રણેય લોકો દારૂના નશામાં એટલા ચૂર હતા કે તેમને એસિડ અને દારૂમાં કોઈ ફરક દેખાયો નહીં.