પેપર લીક કાંડમાં યશપાલ સોલંકીની આખરે ધરપકડ થઈ ગઈ છે. ત્યારે યશપાલ મામલે કેટલાક ખુલાસા થયા છે. યશપાલને ફક્ત આન્સર કી લેવા માટે દિલ્લી મોકલવામાં આવ્યો હતો.
યશપાલની ભૂમિકા આન્સર કી લાવવા સુધી જ સિમિત હતી. તેના માટે તેને એક કરોડ રૂપિયા મળવાના હતા. યશપાલે આન્સર કી મેળવીને મનહરને આપી હતી. આ ગ્રુપમાં 20 જેટલા લોકો હતા. જેમાં દરેક વ્યક્તિ પાસેથી 5 લાખ રૂપિયા લેવાના હતા.
જેમાં આન્સર સીટ મળે ત્યારે એક લાખ આપવાના હતા. જ્યારે આન્સર કી પેપર સાથે મેચ થાય ત્યારે બાકીના 4 લાખ આપવાના હતા. જોકે આન્સર કી આપ્યા બાદ યશપાલ સુરતમાં પરીક્ષા આપવા ગયો હતો.
જ્યાં યશપાલ પરીક્ષા આપે તે પહેલા જ પરીક્ષાનું પેપર ફૂટી જતાં પરીક્ષા રદ થઈ ગઈ હતી.જેથી ધરપકડના ડરે તેને મોબાઈલ બંધ કરી દીધો હતો. યશપાલનું છેલ્લું લોકેશન સુરતમાં પકડાયું હતું અને ત્યાર બાદ ત્યાંથી ફરાર થઈ ગયો હતો.
ઉલ્લેખનીય છે ક રાજ્યમાં લોકરક્ષક દળનું પેપર લીકકાંડના સૂત્રધાર યશપાલસિંહ સોલંકીને ક્રાઈમબ્રાંચ અને ATSએ મહિસાગરના વિરપુર ગામમાંથી યશપાલને મોડી રાત્રે ઝડપી લીધો હતો. પોલીસ તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે યશપાલ સોલંકી અને નિલેશ વચ્ચે મિત્રતા હતી.