નવા વર્ષના બજેટમાં મોદી સરકાર મધ્યમ વર્ગ અને નોકરીયાત વર્ગને મોટી ભેટ આપી શકે છે. જેમા આયુષ્માન યોજનાનો લાભ હેઠળ હવે મધ્યમ વર્ગ અને નોકરીયાત વર્ગ 5 લાખ સુધી કેશલેશ ઈલાજ કરાવી શકશે.
બજેટમાં મોદી સરકાર આપી શકે છે મોટી રાહત
આયુષ્માન ભારત યોજનાનો લાભ મધ્યમ વર્ગને મળશે
5 લાખ સુધી કેશલેશ ઈલાજ થઈ શકશે
પહેલી ફેબ્રુઆરીએ સરકાર નવા વર્ષનું બજેટ રજૂ કરશે અને આ બજેટમાં તેઓ મધ્યમવર્ગ અને નોકરીયાત લોકોને સારા સમાચાર આપી શકે છે. સરકાર દ્વારા મધ્યમવર્ગ અને નોકરીયાત વર્ગના લોકો માટે આયુષ્માન ભારત યોજના હેઠળ વર્ષનું 5 લાખનું મફત ઈલાજ આપવાનું એલાન કરે છે. જેથી મધ્યમ વર્ગના લોકોને મોટી રાહત મળી શકે છે.
11 કરોડ લોકોએ યોજનાનો લાભ લીધો
અત્યાર સુધીમાં કુલ 11 કરોડ લોકો આ યોજનાનો લાભ લઈ ચુક્યા છે. જેમા દરેક ગરીબ પરિવારોને 5 વર્ષ સુધી કેશલેશ ઈલાજની સુવિધા મોદી સરકાર દ્વારા આપવામાં આવી છે. હાલ મધ્યમ વર્ગને પણ હવે આ યોજન હેઠળ લાવવા માટે વિચાર કરવામાં આવી રહ્યા છે.
55 કરોડ પરિવારને મફત ઈલાજ આપવાની તૈયારી
કેન્દ્ર સરકાર હવે આયુષ્માન ભારતની યોજના હેઠળ દેશમના 55 કરોડ પરિવારોને મફત ઈલાજ આપવાની તૈયારી કરી રહી છે. અત્યાર સુધીમાં 11 કરોડ પરિવારોએ આ યોજનાનો લાભ લીધો છે. પરંતુ હવે તો મધ્યવર્ગને પણ આ યોજના મળી રહે તેવા સરકાર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહી છે. જેમા પ્રાઈવેટ નોકરી કરનારા લોકોને પગારમાંથીજ આ યોજનાનું પ્રીમિયમ કાપવામાં આવશે અને તે કર્મચારી અને તેના પરિવારને કેશલેશ ઈલાજનો લાભ મળી શકશે.
2018ના બજેટમાં યોજના મોદી સરકાર લાવી હતી
મોટા ભાગની કંપનીઓમાં ગ્રુપ હેલ્થ ઈન્સ્યોરેંસની સેવા આપવાં આવે છે. પરંતુ હવે કંપનીઓ ઈન્શ્યોરન્સની જગ્યાએ આયુષ્માન ભારત કાર્ડ પણ આપી શકશે. 2018ના બજેટમાં મોદી સરકાર આયુષ્માન ભારતની યોજના લાવી હતી અને લોકોએ આ યોજનાના લાભ લીધો છે. ત્યારે કોરોના કાળમાં હવે સરકારની આયુષ્માન ભારત યોજનાનો લાભ મધ્યમ વર્ગ અને નોકરીયાત વર્ગના લોકો પણ લઈ શકશે. જોકે ગરીબ લોકોનું પ્રિમીયમ સરકાર ભરે છે. પરંતુ મધ્યમ વર્ગનું પ્રિમીયમ નહી ભરે પરંતુ બને તેટલું ઓછું કરી શકે છે.